
ગુજરાત રાજ્ય ના ત્રણ પોલીસ અધિકારી અનુપમસિંહ ગેહલોત અને ખુર્શીદ એહમદને એડિશનલ ડીજીપી નું તથા ગૌતમ પરમારને આઇજીપીનુ પ્રમોશન આપવામાં આવ્યું છ્હે જેમાં હવે અનુપમસિંહ ગેહલોત માટે સુરત પોલીસ કમિશનર બનવાનો માર્ગ મોકળો થયો છે.

ઘણા લાંબા સમયથી જેમના પ્રમોશન માટે રાહ જોવાતી હતી તેવા આઇપીએસ અધિકારીઓ ને સરકારે મોડી રાત્રે પ્રમોશન આપ્યા હતા. વડોદરા તેમજ રાજકોટ પોલીસ કમિશનર તરીકે રહી ચૂકેલા અનુપમસિંહ ગેહલોતને તથા ખુર્શીદ અહેમદને એડિશનલ ડીજીપી નું પ્રમોશન આપવામાં આવ્યું છે. જેને પગલે હવે અનુપમસિંહ ગેહલોત માટે સુરત પોલીસ કમિશનર બનવાનો માર્ગ મોકળો થયો છે.જ્યારે અમદાવાદમાં ફરજ બજાવતા ગૌતમ પરમાર, અને સંદિપસિંઘ તથા દિનેશ પરમારને આઇજીપીનું પ્રમોશન આપવામાં આવ્યું છે.આ ઉપરાંત 2009 બેચના વિરેન્દ્રસિંહ યાદવ, વિધિ ચૌધરી તથા વિશાલ વાઘેલા નો સિલેક્શન ગ્રેડમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.