
પલસાણા ખાતે આવેલ સૌમ્યા પ્રોસેસીંગ મિલમાં ગુરૂવારની વહેલી સવારે લાગેલી ભિષણ આગમાં ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ આગ પર કાબïુ મેળવ્યા બાદ મિલમાં તપાસ કરતા ત્રણ કામદારોના ભડથુ થયેલા મૃતદેહો મળી આવ્યા હતા.
પલસાણા ખાતે આવેલ સૌમ્યા પ્રોસેસીંગ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં ગુરૂવારની મળસ્કે સાડા ત્રણ વાગ્યાના અરસામાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હતી. આ આગ ગણતરીના મિનીટોમાં જ આખે આખી મિલમાં પ્રસરી જવા પામી હતી. જેમાં મિલમાં કામ કરતા અનેક કામદારો પોતાનો જીવ બચાવવા બહાïર દોડી ગયા હતા.
જયારે આ આગïમાં મિલમાં ફર્નિચરનું કામ કરી રહેલાં ત્રણ રાજસ્થાની કારીગરો બહાર નહીં નિકળી શકતા તેઅો અોફીસમાં જ ફસાઇ ગયા હતા. અને આગના કારણે ત્રણેયના દાઝી જવાથી મોત નિપજ્યા હતા.
સૌમ્યા મિલની આગ દુર્ઘટનામાં મોતને ભેટેલા કિશન સુથાર , જગદીશ સુથાર અને પ્રવિણ સુથાર નામના ત્રણેય રાજસ્થાનના વતની હતા. તેમના અકાળે મોતથી પરિવારજનોમાંï આભ તુટી પડ્યુ હતુ. આ બનાવ અંગે પલસાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.