
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ફાયર સેફટી ના કોર્સ ચલાવતી ઇન્ડસ્ટ્રીયલ ફાયર સેફટી એન્ડ મેનેજમેન્ટ એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા શહેરમાં વીજ વાયર ઉપરના પતંગના દોરાઓ અને પતંગો દૂર કરવાની કામગીરી કરી હતી.
અંકલેશ્વર જેવા ઉદ્યોગનગરમાં ફાયર અને સેફ્ટી નું વિશેષ મહત્વ છે જેને લઇને અંકલેશ્વર શહેર ના સ્ટેશન રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ એકેડેમી દ્વારા સેફટી અને ફાયર બ્રિગેડ અંગેના તાલીમ કોર્ષ ચલાવવામાં આવે છે અંકલેશ્વરમાં ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી મેનેજમેન્ટન એકેડેમી ના સંચાલક આરીફભાઇ કુરેશી દ્વારા આજે શહેરમાં વીજ વાયર ઉપર લાગેલા પતંગના દોરા દૂર કરવા માટે વિદ્યાર્થી સાથે કામગીરી કરી હતી વિદ્યાર્થીઓ દ્વારા આજે સ્ટેશન રોડ પર આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રેલી સ્વરૂપે અંકલેશ્વર ત્રણ રસ્તા સુધી પહોંચ્યા હતા આ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થામાં આપવામાં આવેલી સેફટી તાલીમના ભાગરૂપે સેફ્ટીના સાધનો સાથે અંકલેશ્વર ત્રણ રસ્તાથી લઈને સ્ટેશન રોડ પર આવેલા વીજ થાંભલા ઉપરના વીજ વાયર ઉપર વીંટળાયેલા પતંગના દોરા પતંગ સહિતની વસ્તુઓ ને દૂર કરવામાં આવ્યા હતા અને લોકોને એક મેસેજ વહેતો કર્યો હતો કે ઉતરાણ બાદ ઘર નજીક પડેલા દોરાઓ નો નિકાલ યોગ્ય રીતે કરવો જોઈએ નહીં તો કોઈક મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે આવો સંદેશ સાથે આજે ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા વીજ વાયર ઉપર થી દુર કર્યા હતા આ પ્રસંગે પાલિકાના પ્રમુખ વિનય વસાવા એઆ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો સાથે સંસ્થાના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા