
પર્વતગામ પાસેના મમતા સિનેમા બહાર યુવતીની છેડતી કરતા અસામાજિક તત્વોને ઠપકો અપાયો હતો. જેથી પિતા-પુત્ર સહિત ત્રણ જણા પર હિંસક હુમલો કરી વૃદ્ધને ૨૦ થી વધુ ઘા મારી પતાવી દેવાયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઍટલું જ નહીં પણ હુમલાખોરોઍ વૃદ્ધ પિતાની નજર સામે જ પુત્રને પણ અનેક ઘા મારતા મોત સામે લડી રહ્ના હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત દીકરાઍ કહ્નાં હતું કે, ખબર ન હતી.નજર સામે જ પિતાનીને પશુની જેમ કાપતા જોઈ રુંવાટા ઉભા થઇ ગયા હતા. પણ હુમલાખોરોને દયા ન આવી.
મુળ મહારાષ્ટ્રના વતની હાલ પર્વતïગામ મમતા ટોકીઝ નજીક શંકર નગર રહેતા શિવાભાઈ ભોજુભાઈ નિકમ કાપડ માર્કેટમાં સાડી કટીંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની સાથે તેમનો પુત્ર યશવંત પણ સાડી કટીંગનું કામ કરી પરિવારને મદદરૂપ થાય છે.ગુરૂવારે મોડી સાંજે શિવાભાઈ પોતાના દીકરા યશવંત અને મિત્ર સાથે કાપડ માર્કેટમાંથી છૂટ્યા બાદ નાસ્તો કરવા નીકળ્યા હતા. ઘર પાસે જ નાસ્તો કરી રહયા હતા. ત્યારે કેટલાક અસામીજીકતત્વો ઍક યુવતીની છેડતી કરી રહયા હતા. આ જાઇ શિવાïભાઇ તેઅોને ઠપકો આપવા ગયા હતા. પરંતુ છેડતી કરી રહેલા ત્રણ યુવાનોઍ શિવાભાઇઅને તેમના પુત્રને પકડી માર માર્યો હતો. ત્યારબાદ યશંવત પર પર ચાકુ વડે હુમલો કરïી દેતા ભાગદોડ મચી ગઇ હતી.આ જાઇ પિતા પુત્રને બચાવવા વચ્ચે પડતા હુમલાખોરોઍ તેમને ચાકુના ૨૦થી વધુ ઘા ઝીંકી દેતા શિવાભાઇ જમીન પર પડી ગયા હતા.ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવતા હાજર તબીબોઍ શિવાભાઇને મૃત જાહેર કયોïર્ હતો.જ્યારે યશવંતની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે લીંબાયત પોલીસને જાણ કરત પોલીસ કાફલો દોડી આવ્યો હતો.આ અંગે લીંબાયત પોલીસે જણાવ્યું હતું કે, ઘટના લગભગ મોડી સાંજના ૭ઃ૩૦ વાગ્યા ના અરસામાં બની હતી. કેટલાક અસામીજીકતત્વો ઍક યુવતીની છેડતી કરી રહ્ના હતા. જે બાબતે શિવાભાઈ મધ્યસ્થી કરી ઠપકો આપતા ઍમની પર હુમલો થયો હતો. ત્રણેય ને લાફા મારી પિતા-પુત્ર ને ઉપરા ઉપરી ઘા મરાયા હતા.નજર સામે પુત્રને ચપ્પુના ઘા મારનાર તત્વોને અટકાવવા જતા શિવાભાઈને ૨૦ થી વધુ ઘા મરાતા સ્થળ પર જ ઢળી પડ્યા હતા. હિંસક હુમલા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા. હુમલાખોર ૩-૪ જણા હોવાનું હાલ તપાસમાં બહાર આવ્યું છે. લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.સંબંધીઓ ઍ જણાવ્યું હતું કે, કાપડ માર્કેટમાં સાડી કટીંગનું કામ કરતા શિવાભાઈ મહારાષ્ટ્રના વતની હતા. વર્ષોથી સુરતમાં રહેતા હતા. ૨૦ વર્ષ પહેલાં પત્ની સાથે છૂટાછેડા થયા બાદ ઍક દીકરા સાથે પર્વતગામમાં જ રહેતા હતા. ઍમની નિર્મમ હત્યાને લઈ દુઃખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરતમાં નિર્દોષ લોકોની જ હત્યા થાય છે. અસામાજિક તત્વો હાથમાં છરા લઈને ફરી રહ્ના છે. જાહેરમાં યુવતીની છેડતી કરનારને ઠપકો આપવા બદલ શિવાભાઈ મોત મળ્યું ઍની જવાબદાર પોલીસ છે.