![](https://suratchannel.in/wp-content/uploads/2022/02/6.jpeg)
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ ઘ્વારા ગુજરાત રાજયમાં આવેલી કાનૂની સેવા સત્તામંડળો તથા સમિતિઓ સાથે જોડાયેલા લીગલ ઍઈડ ઍડવોકેટો માટે ઓન લાઈન માઘ્યમ ઘ્વારા વેબિનારનું આયોજન કરવામાં આવેલ હતું. સદર વેબિનારમાં સમગ્ર રાજયમાંથી ૧૬૫ પેનલ ઍડવોકેટસ ઘ્વારા ભાગ લીધો હતો
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હીના ઍકઝીકયુટીવ ચેરમેન માનનીય ન્યાયમૂર્તિશ્રી યુ.યુ. લલિત સાહેબ, જજ, સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન તથા દીશા સુચન હેઠળ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ ઘ્વારા મફત અને સક્ષમ રીતે વિવિધ કાનૂની સેવાઓ પુરી પાડવામાં આવે છે. જે પૈકી પક્ષકારોને અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા તો, તેઓ પર કેસ થયેલ હોય અને બચાવ માટે જરૂર હોય તો કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમની કલમ- ૧ર હેઠળ આવતી તમામ વ્યક્તિઓને મફત લીગલ ઍઈડ ઍડવોકેટની સેવાઓ પણ પુરી પાડવામાં આવે છે. તે માટે તમામ કાનૂની સેવા સત્તામંડળ તથા કાનૂની સેવા સમિતીઓ આવા લીગલ ઍડવોકેટની પેનલ નિભાવતી હોય છે, અને આ પેનલ ઍડવોકેટની કાર્ય ક્ષમતામાં વધારો થાય તે હેતુથી અવાર નવાર તાલિમ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ ઘ્વારા યોજાયેલા આ વેબિનારમાં માનનીય મુખ્ય ન્યાયમૂર્તિશ્રી અરવિંદ કુમાર, ચીફ જસ્ટીસ, ગુજરાત હાઈકોર્ટ તેમજ પેટ્રન-ઈન-ચીફ, ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ તથા માનનીય ન્યાયમૂર્તિશ્રી આર.ઍમ. છાયા, જજ, હાઈકોર્ટ ઓફ ગુજરાત તથા ઍકઝીકયુટીવ ચેરમેન, ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળનાઓ હાજર રહેલા. તેમજ બંને ન્યાયમૂર્તિશ્રીઓ ઘ્વારા માર્ગદર્શન પુરું પાડવામાં આવેલ. તેમજ ગુજરાત હાઈકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી જે.ઍમ. પંચાલ સાહેબ ઘ્વારા સેશન્સ ટ્રાયલ ચલાવતી વખતે ઘ્યાનમાં રાખવા જરૂરી હોય તેવી બારીકાઈઓ વિશે છણાવટ કરેલ. તેઓઍ રીસોર્સ પર્સન તરીકે સેવાઓ આપેલ હતી. જેઓની સેવાઓને પણ નામદાર ન્યાયમૂર્તિશ્રીઓ ઘ્વારા બિરદાવવામાં આવેલ હતી.