
કોરોના સંક્રમણ વધતાની સાથે જ સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા તે પૈકીના શાળા બંધ કરવાનો નિર્ણય પણ સરકારે લીધો હતો. બાળકોમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થતાં આખરે સરકારે શાળા બંધ રાખવામાં આવી હતી. કોરોના સંક્રમણની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થાય તેવી દહેશત જોવા મળતી હતી તેને કારણે સરકાર દ્વારા જોખમ લીધા વગર રાજ્યની તમામ સ્કૂલો બંધ કરી દીધી હતી. જોકે આજે શાળા શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરત શહેરની તમામ શાળાઓમાં ૭૫ ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી.
પાલ વિસ્તારમાં આવેલી ન્યુ ઍલ.પી.સવાણી સ્કુલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ વહેલી સવારે શાળાઍ પહોંચ્યા હતા. કોરોના સંક્રમણની ત્રીજી લહેર બાદ વધતા કેસોને કારણે બાળકોને સ્કૂલમાં મોકલવામાં વાલીઓ પણ ખચકાટ અનુભવતા હતા. પરંતુ હવે સુરત શહેરમાં કોરોના સંપૂર્ણ રીતે નિયંત્રણ હેઠળ દેખાતા વાલીઓ પોતાના બાળકોને શાળામાં મૂકવા માટે આવ્યા હતા. શાળાના સંચાલકો દ્વારા પણ કોરોના સંક્રમણની ગાઇડ લાઇનને અનુસરવાનો આગ્રહ રાખ્યો હતો. બાળકોઍ ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કર્યો હતો.ન્યુ ઍલ.પી.સવાણી સ્કૂલના આચાર્ય પ્રભાકર નેગુલાઍ જણાવ્યું હતું કે, બાળકોમાં ખૂબ જ આનંદ અને ઉમંગ જોવા મળ્યો છે. ધોરણ ઍકથી તમામ વર્ગના વિદ્યાર્થીઓ આજે શાળામાં પ્રવેશ કર્યો હતો. શાળાના ગેટ પર જ તમામ વાલીઓનું વેક્સિનેશન થયું છે કે કેમ તે અંગેની તપાસ કરવામાં આવી રહી હતી. જે બાળકોની વય ૧૫ વર્ષ કરતા વધુની છે તેમને વેક્સિન આપવામાં આવી છે કે તે પણ ચેક કરવામાં આવ્યું છે. વાલીઓ અને બાળકો ખૂબ જ સારી રીતે સહકાર આપી રહ્ના છે.પ્રેસિડેન્સી શાળાના આચાર્ય દીપીકા પટેલે જણાવ્યું કે ઓનલાઈન ઍજ્યુકેશન કરતા બાળકોને ઓફલાઈન ઍજ્યુકેશન આપવું ખૂબ જ જરૂરી છે. કોરોના સંક્રમણના પહેલા બીજા અને ત્રીજા તબક્કામાં શાળાના શૈક્ષણિક કાર્યને ખૂબ જ મોટું નુકસાન થયું છે. તેના કારણે બાળકોના અભ્યાસ ઉપર પણ અસર થઈ છે. હવે પ્રભુને પ્રાર્થના કરીઍ કે કોરોના સંક્રમણના ત્રીજા તબક્કા બાદ શાળાઓ બંધ ન રહે તે જરૂરી છે. ત્રીજા તબક્કામાં હવે કોરોના સંક્રમણ ખૂબ જ ઓછું થયું છે ત્યારે આગામી દિવસોમાં વાર્ષિક પરીક્ષાઓ આવી રહી છે ત્યારે ઓફલાઈન ઍજ્યુકેશન ઝડપથી અને સારી રીતે બાળકોને જ આપી શકાય તો બાળકોનો અભ્યાસ સુધરશે. પરિણામ ઉપર પણ તેની ખરાબ અસર ન દેખાઈ. શહેરની લગભગ તમામ શાળાઓમાં આ જ પ્રકારની સ્થિતિ છે. વિદ્યાર્થીઓ પણ શાળામાં આવી રહ્ના છે અને શિક્ષકો પણ બાળકોને ઓફલાઈન અભ્યાસ આપવા માટે આતુર છે.