
કોરોના ઓછો થઈ જતા જ સરકારે ૨ વર્ષ બાદ ફરીથી ૩થી ૪ વર્ષના ભૂલકાઓને પાયાનું ઍજ્યુકેશન ઓફલાઇન આપવાનો નિર્ણય કર્યો છે. તેવામાં જ શહેરની ૪૦૦ પ્રિ-પ્રાઇમરી સ્કૂલો ૭૫ ટકા વાલીઓઍ પોતાના બાળકોને મોકલવા માટે સંમતિ આપી છે. જે વાત આચાર્યો પાસેથી જાણવા મળી છે. જેમણે કહયું હતું કે, પહેલા દિવસે અમે કોઇ બાળકોને ઍજ્યુકેશન નહીં આપ્યું હતું,પણ અમે તેમને રમવા જ દીધા હતા.પહેલાં દિવસે બાળકો રડે નહીં અને સ્કૂલે આવતા થાય તે માટે અમે શિક્ષકોને કાર્ટુન પણ બનાવવામાં આવ્યું હતું.અમે બગી પણ બોલાવી હતી, જેમાં બેસાડીને બાળકોને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત રમકડાં, રમત ગમતનાં સાધનો પણ મૂકાવામા આવ્યા હતા.
બાળકો કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરે તે માટે અમે ૩ શિક્ષકોને ફરજિયાત ક્લાસમાં ઊભા રાખવામાં આવ્યા હતા. બુધવારે પ્રિ-પ્રાઇમરી સ્કૂલો સેનિટાઇઝ કરવામાં આવી હતી.સંસ્કાર ભારતી સ્કૂલના સોનલ પટેલે જણાવ્યું હતું કે અમારે ત્યાં ૭૫ ટકા બાળકોના વાલીઓ સંમતિપત્રક આપી ગયા છે. અમે બાળકોને બગીમાં બેસાડીને સ્કૂલમાં પ્રવેશ આપ્યો હતો.પહેલા દિવસે માત્ર ને માત્ર તેમને જે કરવું હોય તે કરવા દેવામાં આવ્યું હતું.ઍટલે કે, અમે બિલકુલ બાળકોને ભણાવ્યા ન હતા. બાળકો માટે ક્લાસ સજાવ્યા હતા, રમકડાં લઇ આવ્યા અને શિક્ષકોને કાર્ટુન પણ બનાવવામાં આવ્યા હતા.સેવન સ્ટેપ્સ સ્કૂલના પ્રિન્સિપાલ કોમલ શાહઍ જણાવ્યું હતું કે પહેલા દિવસે બાળકોને પણ પ્રોજેક્ટર પર કાર્ટુન બતાવ્યા હતા. ઉપરાંત શક્ષકોને ડોરેમોન અને પરીના કપડાં પહેરાવીને બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ૭૫ ટકા વાલીઓઍ સંમતિ આપી છે. ગાઇડ લાઇનના પાલન માટે ક્લાસમાં બેથી ત્રણ શિક્ષકો રાખવમાં આવ્યા હતા.