
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે સમગ્ર પંથકને હચમચાવતી ઘટના બની હતી. ૧૨ વર્ષની માસૂમ બાળાને અજાણ્યા નરાધમે પોતાના હવસનો શિકાર બનાવી હતી. બાળકીને રૂમ નજીક અન્ય રૂમમાં લઈ ગયા બાદ તેના ઉપર દુષ્કર્મ આચરી તેની ગંભીર હાલત કરી રૂમને બહારથી તાળું મારી ભાગી છૂટ્યો હતો.
પરિવારે બાળાની શોધ કરી સરવાર માટે લઈ ગયા હતા પણ ઘણું મોડું થઈ ગયું હતું. આ અમાનવીય કૃત્યમાં માસૂમ બાળાનું પ્રાણ પંખેડુ ઉડી ગયું હતું. ત્યારબાદ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ લવાયો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપાતા હૈયાફાટ રૂદન સાથે પરિવાર ઘરે રવાના થયો હતો.બીજી તરફ પોલીસે હવસખોર દયારામને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સીસીટીવી ફૂટેજ આધારે તપાસમાં દયારામ અને કાલુરામ દેખાઈ આવ્યા હતાં.દયારામઍ બાળકીની રેકી કરી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.દયારામ બળાત્કાર ગુજારી રહયો હતો ત્યારે કાલુરામ રૂમને પહેરો કરી રહયો હતો અને બાદમાં તાળું મારવા આવ્યો હતો.હાલ પોલીસે દયારામની ધરપકડ કરી છે. અને કાલુરામની અટકાયત કરી પૂછપરછ કરી રહી છે.બીજા કોઈની સંડોવણી છે કે, નહીં તે દિશામાં તાપસ પોલીસે તપાસ હાથ ધરી છે.