
પાલિકાઍ ઉગત ખાતે સાઇટ ઍન્ડ સર્વિસિસવાળી જગ્યામાં ૬૦૦થી વધુ ઝૂંપડાંઓ વસાવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ડિમોલિશન બાદ વિસ્થાપિત થયેલા લોકોને પાલિકાઍ ઉગત સાઇટ ઍન્ડ સર્વિસિસની જગ્યામાં વસાવી તમામ સુવિધાઓ પૂરી પાડી છે. આ જગ્યામાં ઍક મંદિર હયાત છે. સ્થાનિક રહીશોઍ બીજું મંદિર બનાવવા માટે ચણતરની દીવાલ લઇને કામગીરી શરૂ કરી હતી. ચણતરની દીવાલ છ ફૂટ સુધી બનાવી દેવાઇ હતી. પાલિકાની જગ્યામાંમંદિરનું કામ ચાલતું હોવાની ટેલિફોનિક ફરિયાદ મળતા રાંદેર ઝોનનો સ્ટાફ તપાસ માટે પહોંચ્યો હતો. સ્થળ પર છ ફૂટ સુધી દીવાલ ચણી દેવાઇ હોવાનું જણાતા તાત્કાલિક ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું.
ઉગત ખાતે દીવાલ તોડવાનું શરૂ થતા લોકોઍ ભારે વિરોધ કર્યો હતો. પાલિકાના કર્મચારીઓને ઘેરી લેવાયા હતા. જોતજોતામાં પાંચસોથી વધુનું ટોળું જમા થઇ ગયું હતું. સ્થાનિક રહીશોઍ ભાજપના કોર્પોરેટરોને ફોન કરી મંદિરની દીવાલ બચાવવા માટે રજૂઆત કરી હતી. જોકે પાલિકાની જગ્યામાં મંજૂરી વગર ચણતરની દીવાલ લેવાઇ હોવાનું ધ્યાને આવ્યા બાદ ભાજપના કોર્પોરેટરો વચ્ચે પડ્યા નહોતા. લોકોના વિરોધ વચ્ચે પાલિકાઍ ચણતરની દીવાલ દૂર કરી હતી. પાલિકાઍ તકેદારીના ભાગરૂપે પોલીસ બોલાવી લીધી હતી. સિક્યુરિટી અને પોલીસની હાજરીમાં ચણતરની દીવાલ તોડી પડાઇ હતી. પાલિકાની કામગીરીના વિરોધમાં સ્થાનિક રહીશો રાંદેર ઝોન કચેરી પર મોરચો લઇને પહોંચ્યા હતા. બપોર બાદ લોકોઍ ઝોન કચેરી પર દેખાવ કર્યો હતો.