
સુરતના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામે ખડકી ફળિયામાં રહેતા બિપિનભાઈ રણજિતભાઈ દેસાઈની જીવનમાં નર્મદા પરિક્રમા કરવાની ઈચ્છા હતી. પરંતુ વર્ષ ૨૦૨૦માં ૭મી ડિસેમ્બરના રોજ કોવિડ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમના ફેફસાં ૭૫ ટકા ડેમેજ થઈ જવાથી ૧ મહિનો અને ૨ દિવસ આઈસીયુમાં રાખવાની ફરજ પડી હતી. આ સમયમાં ચારે તરફ મૃતદેહો પડ્યા જોયા હતા, ત્યારે જ મનમાં દૃઢ નિશ્ચિય કર્યો હતો. હું સાજો થઈશ તો, પહેલા નર્મદા પરિક્રમા કરવા જઈશ.આ દૃઢ સંકલ્પ અડગ રહયો હતો.
૯મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમા રજા લીધા પછી ૨ મહિના સતત ઓક્સિજનની જરૂર પડી હતી. ત્યારબાદ ૭ મહિના થોડો શ્રમ કરતાં જ ઓક્સિજનની જરૂર પડતી હતી. આ સમય બાદ થોડા સ્વસ્થ્ય થયાં હતા. જોકે, બિપિનભાઈને શુગર, બ્લડપ્રેશર અને ફેફસાં ડેમેજ હોવાથી ડોક્ટેર માત્ર વધુમાં વધુ ૫-૧૦ ડગલા માંડવા સૂચન કર્યું હતું. પરંતુ બિપિનભાઈઍ હિંમત રાખી ઓક્સિજન સાથે નર્મદા પરિક્રમા કરવાની અનુમતિ માટે નારેશ્વર ગુરુદેવના દર્શન ગયા હતા. ત્યાંથી પરત ફરીને નર્મદે હર
નું સ્મરણ કરીને તા. ૧૫મી ઓક્ટોબર ૨૦૨૧ના રોજ નર્મદાની પરિક્રમાની યાત્રા શરૂ કરી હતી. તે સમયે બિપિનભાઈનુ વજન ૧૦૬ કિલો હતું.રોજના ૨૫-૩૦ કિમી ચાલતાં હતાં.આખર ૧૨૪ દિવસમાં બિપિનભાઈઍ તેમના જીવનની સૌથી મોટી ઈચ્છા ૩૨૦૦ કિમીની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી હતી. પરત આવ્યા ત્યારે તેમનું વજન ૮૦ કિલો થઈ ગયું હતું. પોતાનો દૃઢ મનોબળને કારણે યાત્રા પૂર્ણ કરી ઘરે સ્વસ્થ્ય પરત ફર્યા હતા.કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં ત્યારે તેમની આજુબાજુ મૃતદેહ જોયા હતાં. આ દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા હતાં, અને ત્યાંજ તેમણે દ્ઢ નિશ્ચય કર્યો. હું સાજો થઈને ઘરે જઈશ, તો પહેલા નર્મદાની પરિક્રમા કરી મારી ઈચ્છા પૂર્ણ કરીશ,યાત્રા સુખરૂપ પૂર્ણ થઈ છે.નર્મદા પરિક્રમા પૂર્ણ કરી પરત આવેલા બિપીનભાઈઍ જણાવ્યું હતું કે ગુરુદેવના દર્શન કરીને શરૂ કરી યાત્રાઍ મને વિશેષ ઉર્જા આપી હતી. તેમજ ડગલે પગલે નર્મદે હરનું રટણ અને ગુરુદેવનું સ્મરણ મારુ રક્ષણ કરતાં હતાં.