
ચોકબજાર વિસ્તારમાં વિવેકાનંદ સર્કલથી ઍસબીઆઈ સર્કલ મેઇન રોડ બંધ કરાયાં બાદ ૨૪મીઍ ઍસબીઆઈથી વિવેકાનંદ સર્કલ જતા માર્ગને જૂની સિવિલ પાસે બંધ કરાયો હતો. આ કોયડો હજુ ઉકેલાયો નથી ત્યાં શનિવારે રાતથી સ્વામી વિવેકાનંદ બ્રિજનો નાનપુરાથી અડાજણ જતો રેમ્પ રિપેરિંગ માટે બંધ કરાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે. આ માટે જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ ન કરાતાં વાહનચાલકો અટવાઇ રહયા છે.
પાલિકાના બ્રિજ સેલે વર્ષ ૧૯૯૮માં લોકાર્પિત થયેલાં આ બ્રિજના જોઇન્ટ જૂની પદ્ધતિઍ બન્યાં હોવાથી જોઇન્ટ ઉપર અવાર-નવાર ડામરના લેયર પાથરી દેવાતા બમ્પ જેવા ટેકરા ઉપસી આવ્યાં છે, જેને સમતલ કરાશે. આ ટેકરાના લીધે અવાર-નવાર અકસ્માત પણ બન્યાં છે. જેથી પાલિકાઍ અડાજણ તરફ જતો છેડો બંધ કરતાં બીજા છેડા પર ટુ-વેમાં વાહનો દોડી રહયા છે.આ કામગીરી ક્યારે પુર્ણ થશે તે સ્પષ્ટ ન હોવાનું વિભાગે જણાવ્યું હતું.