
ભરૂચના પશ્ચિમ વિસ્તારના બેજલપોર નજીકના કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં સર્જાયેલી દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓનાં મોત નીપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. જ્યારે આ ઘટનામાં બેને ઇજા પહોચી હતી.
ભરૂચના વેજલપોર નજીક આવેલા કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં વહેલી સવારે જર્જરિત મકાન ધરાશાયી થતાં ઍક જ પરિવારનાં કિશોરભાઈ ગુજ્જર તથા અંજના ગુજ્જર અને નિશાબેન ગુજ્જર મળી બે બહેન અને ઍક ભાઈનું ગંભીર ઇજાના કારણે ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પિતા કિશોરભાઈ સહિત બેને ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઍક જ પરિવારનાં ત્રણ બાળકોનાં મોત નીપજવાની ઘટનાના કારણે સમગ્ર પંથકમાં શોક વ્યાપી જવા પામ્યો છે. જાકે, ભરૂચ નગરપાલિકા શહેરમાં આવેલા જર્જરિત મકાનો ઉતારી લેવા માટે માત્ર નોટિસ ઇશ્યુ કરે છે, પરંતુ નક્કર કામગીરી નહી કરતી હોવાના કારણે અવારનવાર મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બનતી રહે છે.