
ઉધના રેલવે યાર્ડમાં ગર્ભવતી મહિલાની લાશ મળી આવવાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પોલીસને સુરત રેલવે સ્ટેશન પાસેથી ઍક બે વર્ષની બાળકી મળી આવી છે. આ બાળકી મૃત મહિલાની હોવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. ઉપરાંત બાળકીનો પિતા તેને સુરત સ્ટેશન ઉપર જ મૂકીને ભાગી ગયો હોવાની પણ શક્યતા છે. પોલીસના કહેવા પ્રમાણે આરોપીઍ પહેલા પત્નીની હત્યા કરી, બાદ સુરત રેલવે સ્ટેશન આવ્યો અને બાદમાં તે બાળકીને મૂકી વતન ભાગી ગયો હોવાની શંકા છે. આ બાબતે પોલીસે વિવિધ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
ઉધના રેલવેનીઆરપીઍફને ઉધના રેલવે યાર્ડની સેન્ટિંગ લાઇન નં.૭- ૮ વચ્ચે ઍક ગર્ભવતી મહિલાની લાશ મળી આવી હતી. આ અંગે પોલીસે અજાણ્યાની સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.આ હત્યાની સાથે જ સુરત રેલવે પોલીસની ટીમ પણ તપાસમાં જોતરાઇ છે.મહિધરપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેમને સ્ટેશનની મોહન મીઠાઇ દુકાન પાસેથી ઍક બાળકી રખડતી હાલતમાં મળી આવી હતી. આ બાળકીનો કબજો મહિધરપુરા પોલીસે લઇ તેને કતારગામ પોલીસની મદદથી બાળગૃહમાં મોકલી આપી હતી. બીજી તરફ પોલીસે સુરત રેલવે સ્ટેશનનાં સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ઍક યુવક બાળકીને લઇ જતો નજરે પડે છે.આ યુવકે પહેલાં બાળકીને આઇસક્રીમ ખવડાવ્યા બાદ તરછોડી દીધી હતી. આ યુવક કોઇ ટ્રેન મારફતે પોતાના વતન જતો રહયો હોવાની પણ શંકા છે. આ અંગે રેલવે પોલીસના જણાવ્યા પ્રમાણે આ યુવક મૃત મહિલાનો પતિ હોવાની શક્યતા છે. આ યુવક પહેલાં પત્નીની હત્યા કરી બાદ બાળકીને સુરત રેલવે સ્ટેશને મૂકી જતો રહયો હોવાનું જણાય છે. હાલ તો પોલીસે ડીઍનઍ ટેસ્ટ કરાવવાની સાથે જ તપાસ શરૂ કરી છે.