
ભેસ્તાનના સરસ્વતી આવાસ બાદ અઠવા ઝોનના ઉમરાના આવાસ પણ ગણતરીના વર્ષોમાં જર્જરીત થતા બેદરકારીની તપાસ કરવા સ્ટેન્ડિંગ કમિટીઍ આદેશ કર્યો હતો.જેને પગલે અઠવા ઝોનના અધિકારીઓની ટીમ નિર્મળ નગર આવાસની મુલાકાતે ગઈ હતી. સ્થળ તપાસમાં બિલ્ડિંગોના સમયસર મરામતની સાથે મેઇન્ટેનન્સમાં કામગીરીમાં પણ ઢીલાશ રખાઇ હોવાનું પાલિકા ટીમે પ્રાથમિક તારણ રજુ કર્યું હતું. ૧૩ વર્ષ જુના નિર્મળ નગર આવાસના રિપેરિંગ માટે અઠવા ઝોને ૨ વખત નોટીસ ફટકારી છતાં રહીશોઍ મરામત માટે પાલિકા પર નિર્ભરતા દર્શાવી કામ કરાવ્યું ન હતું.
૧૩ વર્ષમાં નિર્મળ નગર આવાસના પોપડા ખરી પડ્યા હોવાની સાથે પીલર તથા સ્લેબમાં પણ તિરાડો પડી છે. રહીશોઍ બિલ્ડિંગના નિર્માણમાં ગોબાચારી આચરી હોવાની રાવ કરી હતી. નિર્મળ નગર આવાસના નિર્માણમાં ભેસ્તાન વાળી થઇ છે કે કેમ? તેની તપાસ કરવા સ્ટેન્ડિંગ કમિટીઍ નોંધ મુકી હતી.કાર્યપાલક ઇજનેર મહેશ ચાવડાઍ કહયું કે, નિર્મળ નગરને સમયાંતરે મેઇન્ટેઇન કરવામાં બેદરકારી આચરાઇ હોવાથી તે જર્જરીત અવસ્થામાં છે. આ અંગ ઝોન દ્વારા ૨ વખત નોટીસ ફટકારી રિપેરિંગ માટે સુચના આપી હતી. આ બિલ્ડિંગના લાભાર્થીઓને ૭ વર્ષ પુરા થયા બાદ તે માલિક બની ગયા છે, તમામના દસ્તાવેજ પણ બની ગયા છે જેથી બિલ્ડિંગના રિપેરિંગ માટે પણ રહીશો જ જવાબદાર છે. આ બિલ્ડિંગની કોન્ટ્રાક્ટર લાયબિલિટી અવધિ પણ પુરી થઇ ગઇ છે.