
દેશભરમાં હાલ મોઘવારીઍ માઝા મૂકી છે. સરકાર દ્વારા અવારનવાર જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પર તોતિંગ ભાવવધારો કરવાને કારણે લોકોની હાલત દયનીય બની જવા પામી છે. લોકોનાં બજેટ પણ ખોરવાઈ ગયા છે. આ ભાવવધારો આમ આદમી માટે ખુબ જ ઘાતક સમાન બની રહ્ના છે. મોઘવારીમાં પીસાતી પ્રજાને વધુ ઍક ડામ માટે અદાણી અને ગુજરાત ગેસ વચ્ચે સ્પર્ધા ચાલી રહી હોય તેમ ગુજરાત ગેસ સીઍનજી કંપનીઍ ભાવમાં પ્રતિ કિલોદીઠ રૂ. ૬.૪૫નો વધારો ઝીંકતા વાહનચાલકોની હાલત કફોડી બની જવા પામી છે. ખાસકરીને રીક્ષાચાલકોમાં ભાવવધારાને લઈ રોષ જાવા મળી રહ્ના છે.
પહેલી ઍિલે અદાણી ગેસ દ્વારા સીઍનજીમાં રૂ. પાંચનો વધારો કરતા સીઍનજી ગેસનો ભાવ ૭૯.૫૯ રૂપિયા થઈ જવા પામ્યો છે. તેની પાછળ પાછળ ગુજરાત ગેસ કંપનીઍ પણ ભાવવધારો જાહેર કર્યો છે. ગુજરાત ગેસના સીઍનજીનાં ભાવમાં રૂ. ૬.૪૫ નો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેના કારણે સીઍનજી વાહનચાલકોને કિલોદીઠ ગેસના રૂ. ૭૬.૯૮ ચૂકવવા પડશે. આ ભાવવધારાને કારણે તેની સીધી અસર સીઍનજી રીક્ષા ચલાવનારા પર પડી છે. સુરત શહેરમાં ઍક લાખથી વધુ રીક્ષા પર લોકો પોતાનું પરિવાર ચલાવી રહ્નાં છે. આ ભાવવધારો તેમના માટે અસહ્ના હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત ગેસ કંપનીઍ પોતાની મનમાની કરીને ગેસનો ભાવ વધારતા રીક્ષાચાલકોમાં રોષ જાવા મળી રહ્ના છે. આ ભાવવધારાને કારણે રીક્ષાચાલકો પોતાના ભાડા વધારે તો લોકો પોસાય તેમ નથી. આમ બધી રીતે રીક્ષાચાલકોનો મરો દેખાય છે. તેમ છતાં આ અસહ્ના ભાવવધારા સામે આગામી દિવસોમાં રીક્ષા ચાલક ઍસોસિઍશન ભાડાના ભાવમાં વધારો કરે તો નવાઈ નહીં. આમ, છેવટે ભાવવધારો લોકો પર જ પડતો હોય છે અને સરકાર પોતાની મનમાની કરી માત્ર ને માત્ર યોજનાઓ અને વિકાસના નામે ભાવવધારાને ડામવા માટે કોઈ નક્કર પગલાં ભરતી નથી. આ ઉપરાંત સ્કૂલોમાં વર્દી મારતા વાહનચાલકોની હાલત પણ કફોડી બની છે. આ સરકારને માણસોની કદર નથીï. માત્રને માત્ર ભાવવધારામાં જ તેમને રસ દેખાઈ રહ્ના છે. આ ભાવવધારો કેટલા ઘરોને અસર કરશે તે આવનારો સમય જ બતાવશે.