
કાપોદ્રા, બરોડા પ્રિસ્ટેજ પાસે જર્જરિત બિલ્ડિંગ ઉતારવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ કોઈપણ સેફ્ટી વગર જૂની બિલ્ડિંગ ઉતારવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ચાર માળની ઈમારતમાં અચાનક જ દિવાલનો ભાગ તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેવા દૃશ્યો બન્યાં છે, ઓચિંતું આ ઈમારત પડે તો લોકોનાં જીવની સામે જાખમો સર્જાઈ શકે છે. જીવના જાખમે ચાલતી આ કામગીરી સામે પાલિકાનાં અધિકારીઓની ચુપકીદી લોકોમાં રોષનું કારણ બની છે. વરાછા ઝોનની હદમાં મિલકતના માલિકે જર્જરિત ઈમારત ઉતારવા માટે આજુબાજુની ઈમારતોને કોઈ પણ સેફ્ટી આપી નથી. કામગીરી શરૂ કરતાં જ બિલ્ડિંગોમાં રહેતા રહીશો ઉપર પણ જીવનું જાખમ દેખાઈ રહ્નાં છે.