
આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સ્માર્ટ સિટી મિશન મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સુરત ખાતે તા. ૧૮મીથી ૨૦મી એપ્રિલ દરમિયાન સ્માર્ટ સિટી સ્માર્ટ અર્બન ઇઝેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકાના સહયોગથી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સ્માર્ટ સિટી કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યું છે, જેની તમામ તૈયારીઓ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. લગભગ એક હજાર જેટલાં ડેલીગેટ આ કોન્ફરન્સમાં ભાગ લેશે, જેના માટે શહેરની તમામ હોટેલો બુક કરવામાં આવી છે. આ સ્માર્ટ સિટી સ્માર્ટ અર્બનાઇઝેશન કોન્ફરન્સ ભારત અને ગુજરાત સરકારનાં મંત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ સમિટમાં વિવિધ કેટેગરીમાં ૫૧ જેટલાં એવોર્ડ એનાયત કરવામાં આવશે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્માર્ટ સિટી મિશન મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા તા. ૧૮થી ૨૦મી એપ્રિલ દરમિયાન સુરતના સરસાણા ખાતે આવેલા કન્વેન્શન હોલમાં સ્માર્ટ સિટી સ્માર્ટ અર્બનાઇઝેશન કોન્ફરન્સ સમિટનું આયોજનકરવામાં આવ્યું છે. ૧૮મી એપ્રિલના રોજ આ કોન્ફરન્સનું આયોજન બપોરે ૩ વાગ્યા કરવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભારત સરકારના હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના મંત્રી હરદીપસિંહ પુરી, કેબિનેટ આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, સાંસ્કૃતિક અને પર્યટન મંત્રાલયના જી. કિશન રેડ્ડી, રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન જરદોશ, સાંસદ સી.આર. પાટીલ, રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રીઓ, વાઇસ ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર જીઆઈડીસીના એમ. થન્નારસન, ૧૦૦ સ્માર્ટ સિટીના મ્યુનિસિપલ કમિશનર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ચીફ ડેટા ઓફિસર, સીનિયર અધિકારીઓ, વિવિધ વિષયોનાં તજજ્ઞો ભાગ લેશે. આ સંદર્ભે સુરત મહાનગરપાલિકા દ્વારા એકપત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેયર હેમલતાબેન બોઘાવાલા, ડેપ્યુટી મેયર દિનેશ જાધવાણી, સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ, મનપા કમિશનર બંછાનિધિ પાણી અને રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયા ઉપસ્થિત રહ્ના હતાં. વિનુ મોરડીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી કોન્ફરન્સમાં લગભગ એક હજાર જેટલાં ડેલીગેટ્સ સુરતમાં આવીને પધારશે. જાકે, કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ આ કોન્ફરન્સમાં આવશે કે નહીં તે અંગે હજુ કોઈ કન્ફર્મેશન મળી નથી. આ ઉપરાંત ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ-૨૦૨૦નું વિતરણ કરવામાં આવશે, જેમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કરવામાં આવેલી વિશિષ્ટ કામગીરી માટે સ્માર્ટ સિટીઓને સિટી એવોર્ડ, ઈનોવેટિવ એવોર્ડ તેમજ પ્રોજેક્ટ એવોર્ડ કેટેગરીમાં કુલ ૫૧ એવોર્ડ આપવામાં આવશે, જેમાં સુરત શહેરને પણ તેની કામગીરી બદલ એવોર્ડ મળશે, તેવું જણાવ્યું હતું. ત્યારબાદ ૧૯મી એપ્રિલના રોજ સાંજે ૧૦થી ૬ વાગ્યા દરમિયાન ઓપન હાઉસ ડિસ્કશન અને ટેકનિકલ સેશન્સનું અલગ-અલગ પાંચ થીમ પર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડિજીટલ ગવર્નન્સ, રીઈમેજિનિંગ પબ્લિક સ્પેસીસ એન્ડ પ્લેસ મેકિંગ, પ્રોક્યોર ઈનોવેશન, ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ ફાઇનાન્સનો સમાવેશ થાય છે. ઉપરાંત પાંચ થીમ અંતર્ગત પાંચ પેવેલિયન બનાવવામાં આવ્યા છે. દરેક પેવેલિયનમાં જેતે થીમને લગતી એક્ટિવિટી જેવી કે, ટોક શો, વિવિધ એજન્સીઓનાં સ્ટોલ, ગ્રુપ ડિસકશન વગેરે થશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યની ઝાંખી કરાવતું ગુજરાત ગૌરવ પેવેલિયન પણ બનાવવામાં આવ્યું છે, જેમાં ગુજરાત રાજ્યનાં તમામ સ્માર્ટ સિટી અંતર્ગતનાં શહેરોની કામગીરી તમામ વિવિધસભર પ્રોજેક્ટોનું ડિસ્પ્લે કરવામાં આવશે. આ ઉપરાંત તા. ૨૦મી એપ્રિલના રોજ સુરત આવનારા ડેલીગેટ્સ માટે સ્માર્ટ સિટી અંતર્ગત વિવિધ પ્રોજેક્ટોને અનુલક્ષીને સાઇટ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેસ્ટલ, ડ્રાઇવ, સ્માર્ટ રાઇડ, ઇન્ફ્રા વોક, નેચર ટ્રેક અને એકતા સફર જેવી સાઇટ વિઝિટો કરવામાં આવશે.