
સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે વેસુ ઈડબ્લુઍસ આવાસમાં રહેતા ઍક શ્રમજીવી પરિવારે પોતાના વહાલસોયા પુત્રને ગુમાવવાનો વારો આવ્યો છે. સુરત મહાનગરપાલિકાઍ પાણીની લાઈન માટે ખોદેલા ખાડામાં વીજ થાંભલાને કારણે ઍક બાળકને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું.
વેસુ, ઈડબલ્યુઍસ આવાસના ભગવાન બુદ્ધ નગરમાં શશિકાંત ઝલટે અને તેમનો પરિવાર રહે છે. આ શ્રમજીવી પરિવારનો ૮ વર્ષીય પુત્ર જય ઈડબ્લ્યુઍસ આવાસની પાસે સુરત મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઈન માટે ખોદેલા ખાડા પાસે રમી રહ્ના હતો, ત્યારે ખાડામાં વીજ થાંભલો પડવાને કારણે તેમાં વીજ પ્રવાહ પસાર થયો હતો. જેના કારણે ત્યાં રમી રહેલા જયને જારદાર કરંટ લાગતા તે દૂર ફેકાયો હતો. ગંભીર રીતે દાઝી જતાં આજુબાજુનાં લોકો દોડી આવ્યા હતાં અને તત્કાલ જયને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોઍ તેને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ ફાટી નીકળ્યો હતો. આમ સુરત મહાનગરપાલિકાની બેદરકારીને કારણે ઍક શ્રમજીવી પરિવારે પોતાના વહાલસોયા પુત્રને ગુમાવવાનો વારો આવ્યો છે.