ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સુરતનું ૮૭.૫૨ ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં મૂળ સૌરાષ્ટ્રની અને સુરતમાં રહેતા રત્નકલાકારની દીકરીઍ સફળતા મેળવી છે. ગોપી વઘાસીયાને ૯૬.૨૮ સાથે ઍ-૧ ગ્રેડ મળ્યો છે. ગોપીઍ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં હોશિયાર વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવીને અરસપરસ ડાઉટ ફોન કરીને ક્લિયર સાથે આ સફળતા મેળવી છે. ઍમાં શિક્ષકો, માતા-પિતાનો પૂરતો સપોર્ટ મળ્યો હતો. પિતાઍ કાળી મજૂરી કરી હોવાથી આગામી સમયમાં પિતાને ગૌરવ થાય ઍ પ્રકારે સીઍ બનીને નામ રોશન કરવાની ઈચ્છા છે.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગુંદાશ્રી ગામના વતની ચીમનભાઈ વઘાસીયાની પુત્રી ગોપીઍ ધોરણ-૧૨માં ઍ-૧ ગ્રેડ મેળવવાની સાથે પરિવારનું નામ રોશન કર્યું છે. પિતા ચીમનભાઈ ઘણા વર્ષોથી સુરતમાં રત્નકલાકાર ઍટલે કે હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પપ્પાની મહેનત જોઈને ગોપીઍ પણ ધોરણ ૧૨માં ભારે મહેનત કરી, જેના કારણે આજે સારું પરિણામ મળ્યું છે.ગોપીનાં માતા કૈલાસબેન ધોરણ સાત ભણેલાં છે. બંને સંતાનોને ભણાવીને આગળ વધારવા માટે સિલાઈકામ કરે છે. રત્નકલાકાર પતિને ટૂંકી આવકમાં માતા પણ બાળકોના અભ્યાસ માટે પરિશ્રમ કરી રહ્ના છે.ગોપીઍ જણાવ્યું હતું કે ધોરણ ૧૧ વખતે કોરોના સમય હોવાથી ઓનલાઇન અભ્યાસની સાથે સાથે હોશિયાર વિદ્યાર્થીઓનું સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવ્યું હતું. જેમાં ઍક બીજા પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરતા હતા સાથે જ રોજ આઠથી દસ કલાક મહેનત કરતા હતા.ગોપીઍ જણાવ્યું હતું કે, પિતાની ઈચ્છા કંઇક કરી બતાવવાની હતી. જેના કારણે ધોરણ ૧૨માં ખૂબ મહેનત કરી અને આગામી સમયમાં સીઍ બનીને સીઍની ઓફિસ ખોલી પરિવારને મદદરૂપ થવાની તથા પરિવારનું ગૌરવ વધારી નામ રોશન કરવું છે. પિતાને આજે હું ઍટલું જ કહીશ કે ઍમણે મારા માટે જે મહેનત કરી છે તે હું આગામી સમયમાં તેમને નિરાશ થવા નહીં દઉં.