
ઍસ.ટી. કર્મચારીઓનાં પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં ઍસ.ટી. મંડળ દ્વારા ૧૮મી જૂનથી અચોક્કસ મુદતનું માસ સીલઍલ કાર્યક્રમ જાહેર કરાયો હતો, પરંતુ બીજી જૂનના રોજ સંકલન સમિતિ દ્વારા આંદોલન કાર્યક્રમ મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ઍસ.ટી.ના કર્મચારીઓનાં પડતર પ્રશ્નોના નિરાકરણ માટે તા.૧૮મીથી અચોક્કસ મુદતનું માસ સીઍલનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. ઍસટી કર્મચારી મંડળના માન્ય ત્રણેય સંગઠનોઍ સરકાર સાથે વાર્તાલાપ બાદ સમાધાન થતાં આ નિર્ણય લીધો છે. ડ્રાઈવર અને કંડકટરના ગ્રેડ પેના સુધારાનો અમલ, ૧૧ ટકા મોંઘવારી ભથ્થાની દરખાસ્ત, હકક રજાનું ત્વરીત રોકડમાં ચુકવણું કરવા, બદલી અંગેનો પરિપત્ર-૨૦૦૭ રદ કરવા, ડ્રાયવર કમ કંડકટર કે જે બંન્ને ફરજો બજાવે છે, તેમના ગ્રેડ પેમાં સુધારો કરવા સહિતના અન્ય પડતર પ્રશ્નોના મુદ્દે ત્રણેય માન્ય સંગઠનોની મિટીંગ સરકારના પ્રતિનિધિઓ સાથે થઈ હતી. જેમાં મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. બાકી રહેતા મુદ્દાઓ બાબતે સંકલન સમિતિ સાથે તબકકાવાર મિટીંગો યોજીને તમામ મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવશે. સમજુતિ અન્વયે તા. બીજી જૂન ૨૦૨૨ના પત્રથી સંકલન સમિતિ દ્વારા જાહેર કરેલ આંદોલનાત્મક કાર્યક્રમ સંમતિથી મોકૂફ રાખવા નિર્ણય કરવામાં આવે છે, ઍમ અનિલ નિષાદે કહ્નાં હતું.