
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં ૧૦ થી વધુ ગામોમાં ખેતરોમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ ન થતા ડાંગરની રોપણી અટકી પડી છે.અને શાકભાજીપકવતા ખેડૂતોના ખેતરોમાં પાણી ૧૫ દિવસથી ભરાવો થતા શાકભાજી પાક નાસ થવાના આરે છે. ખેડૂતોમાં રોષ સાથે સર્વે કરી સહાય ની માંગ કરી રહ્ના છે.
સુરત જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને લઈ ખેડૂતોની હાલત દયનિય છે.ખાસ કરીને ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં ખેડૂતોની જો વાત કરીઍ તો કાંઠા વિસ્તારમાંખેતરોમાં વરસાદી પાણીનો ભરાવાના લઈ રોષ છે. જે મુખ્ય કારણ કાંઠા વિસ્તારમાં ડ્રેનેજ વિભાગ દ્વારા ઘોડા ખાડીની કાસની સફાઈ અને રોડ બનાવવામાં બેદરકારીને કારણેખેતરોમાં પાણીનો નિકાલ થતો નથી અને ખાડી કિનારે આવેલી ખાનગી રેસીડનસીઓ દ્વારા માર્જિન ની જગ્યા ન છોડતા વરસાદી પાણીનો નિકાલ અવરોધાયો છે.આજે તંત્રનાપાપે અરિયાણા થી છેક પીંજરત ગામ સુધીના ૧૦ થી વધુ ગામોમાં ખેડૂતોની ચોમાસુ ડાંગરની ૪૦૦ વિઘાથી વધુ વિસ્તારમાં રોપણી અટકી પડી છે તો બીજી તરફશાકભાજીના પાકોમા પાણી ભરાવાથી પાક ડૂબી જતાં મોટું નુકસાન થવાથી ભીતિ સેવાઈ રહી છે.કાંઠા વિસ્તારના ખેડૂતો સહાયની માંગ કરી રહ્ના છે.