
ઉકાઈ ડેમમાં હાલ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ૨.૭૧ લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમની સપાટી રૂલ લેવલ ૩૩૩ને પાર કરીને ૩૩૩.૨૪ફુટ પર પહોંચી ગઈ છે. જેથી ડેમની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ૧ લાખ ૯૯ હજારથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્નાં છે. જેથી તાપી નદીની સપાટીસુરતના કોઝવે પર ૯.૪૬ મીટર પર પહોંચી ગઈ છે. તાપી નદી સોળે કળાઍ ખીલી ઊઠતા લોકો જાવા માટે ઉમટી પડ્યાં છે. ખાસ કરીને તાપી નદીના આ નયનરમ્યનજારાને સેલ્ફી થકી પોતાના મોબાઈમાં કંડારી રહ્નાં છે. આ ઉપરાંત સુરત શહેર અને જિલ્લામાં માત્ર વરસાદી ઝાપટાં પડ્યાં છે.
મહારાષ્ટ્રમાં આવેલા હથનુર ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાંથી રાત્રે સાડા ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જોકે સવારે ક્રમશ તેમાં ઘટાડો થયોહતો. ૨૪ કલાકમાં ઉપરવાસમાં સરેરાશ માત્ર ૫.૭૭ મિમી વરસાદ ખાબક્યો છે. હથનૂર ડેમમાંથી ૧ લાખ ૩૩ હજાર ૧૮૧ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં છોડવામાં આવ્યું છે.હથનૂર ડેમની સપાટી ૩૧૦ મીટર પર પહોચી છે. આમ, ઉકાઈમાં બપોરના ૧૨ વાગ્યા સુધી ૨ લાખ ૭૧ હજાર ૪૦૨ ક્યુસેક પાણીની આવક થઈ રહે છે. જેથી ડેમના ૧૩ જેટલાદરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ઉકાઈના ૧૩ દરવાજા ખોલાતા તેમાંથી ૧ લાખ ૯૯ હજાર ૩૦૧ ક્યુસેક પાણી હાલ તાપી નદીમાં છોડવામાં આવી રહ્નાં છે. જેના કારણેનીચાણવાળા વિસ્તારને તંત્ર દ્વારા ઍલર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સિંગણપોર-રાંદેર કોઝવેની સપાટી ૯.૪૬ મીટરે પહોંચી ગઈ છે.કોઝવેમાંથી ૨ લાખ ૩૯ હજાર ૮૬૫ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્નાં છે. જેથી તાપી નદીના પાણી સુરત શહેરમાં ઘુસી ન જાય તે માટે તંત્ર દ્વારા સાત જેટલાફ્લડગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે સુરત શહેરમાં ભારે વરસાદ પડે તો શહેરમાં ગટરીયા પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણેવરસાદની શક્યતા ન હોવાથી હાલ ગટરીયા પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતા નથી. જો ભારે વરસાદ પડે અને પૂરની સ્થિતિ સર્જાય તો તંત્ર દ્વારા કરવામાં આવનારકામગીરીને અત્યારથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ફ્લડગેટ બંધ કરાતા ડી વોટરીંગ માટે પંપ ગોઠવી દેવામાં આવ્યા છે. જેથી થોડા ઘણા વરસાદના પાણીમાં આ પંપઉપયોગી સાબિત થઈ શકે છે. જો ભારે વરસાદ પડે તો તંત્ર દ્વારા ઉકાઈ માંથી પણ ક્રમશઃ પાણી છોડવાનું ઘટાડી દેવામાં આવી શકે છે. જોકે હાલ વરસાદ ન હોવાથી તંત્રદ્વારા ઉકાઈમાંથી પાણી છોડીને રૂલ લેવલ જાળવી રાખવા પ્રયત્ન કરવામાં આવી રહ્ના છે. આમ તાપી નદી બે કાંઠે વહેતા લોકો જાવા માટે ઉમટી રહ્નાં છે. તાપી નદી સીઝનમાંપહેલી વાર પોતાના અસલ રૂપમાં જાવા મળી રહી છે. બીજી બાજુ કાંકરાપાર ડેમની સપાટી વધીને ૧૬૯.૪૦ ફુટ પર પહોîચી ગઈ છે. તેમાંથી ૧ લાખ ૫૫ હજાર ૮૦૦ ક્યુસેકપાણી છોડવામાં આવી રહ્નાં છે. હાલ સુરત સહિત જિલ્લામાં મેઘરાજાઍ વિરામ લીધો છે. જાકે, પલસાણામાં ત્રણ, બારડોલીમાં ઍક, કામરેજમાં પાંચ અને સુરત સિટીમાં ઍકમિમી વરસાદ પડ્યો છે.