સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં આવેલા પુરાની કેટલીક સોસાયટીમાં ભર ચોમાસે પાણીનો કકળાટ જોવા મળી રહ્ના છે. છેલ્લા બે મહિનાથી પુણાની કેટલીક સોસાયટીઓમાં પાણી ન આવતા મહિલાઓ હાથમાં પાણીની ડોલ લઈ રસ્તા પર ઉતરી આવી હતી. પાણીના ફરિયાદના મુદ્દે કોઈ હાલ ન આવતા મહિલાઓઍ સ્થાનિક કોર્પોરેટર અને પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
વરાછા ઝોનમાં આવેલા પુણા ગામ નારાયણ નગર, શાંતિનગર સહિતના વિસ્તારોમાં પાણીની સમસ્યા છાશવારે ફરિયાદ કરવા છતાં સમસ્યાનો કોઈ હલ અવ્યો નથી. આ સોસાયટીઓની મહિલાઓ છેલ્લા બે મહિનાથી સ્થાનિક કોર્પોરેટરો અને પાલિકા તંત્રમાં રજૂઆત કરી રહી છે. આકાશમાંથી સતત પાણી વરસી રહ્નાં છે તેમ છતાં પુણાની આ સોસાયટીઓ પાણીથી વંચિત રહેતા મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યા છે. મહિલાઓ આક્રોશ પૂર્ણ રીતે જણાવે છે કે જ્યારે મત માગવાના હોય ત્યારે રાજકારણીઓ અનેક વચનો આપે છે. પરંતુ જ્યારે અમારી સમસ્યા હોય ત્યારે કોઈ કામ કરતા નથી. છેલ્લા બે દિવસથી પાણી ન આવતા આ વિસ્તારની મહિલાઓની મુશ્કેલીમાં વધારો થયો છે. તંત્ર અને સ્થાનિક નગર સેવકો દ્વારા આ સમસ્યાનો હાલ ન કરાતા આજે મહિલાઓ વાસણ લઈને રસ્તા પર ઉતરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.