
રીંગરોડ મિલેનીયમ ટેક્ષટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા ઍક વેપારી પાસેથી રાજસ્થાનના બે દલાલો ઉધાર કાપડનો માલ લઇ ગયા બાદ રૂ.૩૬.૧૦ લાખની છેતરપીંડી આચરી હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોîધાઇ છે.
પલસાણા તાતીથૈયા પાસે આવેલા મહાદેવ રેસીડેન્સીમાં રહેતા આશુતોષભાઇ શ્રીપ્રકાશ અસ્થાના સુરત રીંગરોડ મિલેનીયમ ટેક્ષટાઇલ માર્કેટમાં રીનાશ્રી સાડીની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઍક વર્ષ પહેલાં રાજસ્થાન નાગોર જીલ્લાના દેગાના તાલુકાના ગુલંદર ગામમાં રહેતો અશોક શર્મા અને મહારાષ્ટ્ર સુભાષ કોલોની પાસે સંતોષ સાડી નામથી દલાલી કરતો કૈલાશ ભંવરલાલ ચૌધરી નામના બે દલાલોઍ આશુતોષભાઇનો સંપર્ક કર્યો હતો. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ખાતે અસ્તિત્વ ન હોય તેવી પેઢીઓïને સાડીઓનો માલ દલાલીથી આપવાનું જણાવી સમયસર પૈસા ચુકવી દેવાની બાંહેધરી આપી હતી. આશુતોષભાઇઍ બંને જણાં પર વિશ્વાસ મુકી રૂ.૩૬.૧૦ લાખનો ઉધાર સાડીઓનો માલ આપ્યો હતો. બંને જણાંઍ આશુતોષભાઇનો વિશ્વાસ કેળવવા માટે રૂ.૬૪,૯૯૦ ચુકવી આપ્યા હતા. બાકીના પૈસા ચુકવી દેવાની બાંહેધરી આપી હતી. પરંતુ આશુતોષભાઇને બંને દલાલો પર શંકા જતાં મહારાષ્ટ્ર ખાતે મોકલેલો માલ પરત મેળવવા માટે ટ્રાન્સપોર્ટ કંપનીનો સંપર્ક કર્યો હતો. પરંતુ કૈલાશ ચૌધરીઍ ટ્રાન્સપોર્ટમાંથી માલ છોડાવી બારોબાર વેચી દીધો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશ ખાતે મિશ્રા સાડી નામની પેઢીમાં મોકલેલો રૂ.૧૧ લાખનો માલ પણ મેળવી બારોબાર વેચી નાંખ્યો હતો. આમ બંને જણાંઍ છેતરપીંડી આચરતા આશુતોષ ભાઇઍ માલિકોને જાણ કર્યા બાદ સલાબતપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.