
પાંડેસરા જગન્નાથ નગરમાં આવેલા ઍક મંદીરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા. પુજારીના રૂમનો દરવાજા બહારથી બંધ કરી દાનપેટી તોડી તેમાંથી રોકડા રૂ.૬૦ થી ૭૦ હજાર ચોરી કરી ભાગી છુટ્યા હતા.
પાંડેસરા જગન્નાથ નગરમાં જગન્નાથ મંદીર આવેલુ છે. રાત્રિના સમયે આ મંદીરમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોઍ પુજારીના રૂમનો દરવાજા બહારથી બંધ કરી મંદીરમાં પ્રવેશ કર્યો હતો. મંદીરના મુખ્ય દરવાજા લોક તોડી દાનપેટીમાંથી રોકડા રૂ.૬૦ થી ૭૦ હજાર ચોરી કરી ભાગી છુટ્યા હતા. મળસ્કેના ચાર વાગ્યે પુજારી અને તેનો સેવક ઉઠતા તેઓઍ દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દરવાજા બહારથી બંધ હોવાથી બંને જણાંઍ ૧૦ મિનીટ સુધી દરવાજા ખેîચતા લોક ખુલી ગયુ હતુ. ત્યારબાદ મંદીરમાં ચેક કરતા દાનપેટી ગાયબ હતી. આ અંગે પુજારીઍ મંદીરના ટ્રસ્ટી બંસીધરને ફોન કરતા તેઓ દોડી આવ્યા હતા. ત્યારબાદ પાંડેસરા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે બંસીધરની ફરીયાદના આધારે ગુનો નોધી આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.