
પ્રથમ તબક્કાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે. સાથે જ ફોર્મ ભરવાની તારીખો પૂર્ણ થવાને હવે ગણતરીનો સમય બાકી રહ્ના છે. ત્યારે આજથી ફોર્મ ભરવામાં તેજી આવી ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે. ભાજપ – કોંગ્રેસ સહિતના આપના ઉમેદવારો અને અપક્ષો પણ આજે મોટી સંખ્યામાં ફોર્મ ભરે તેવો માહોલ જોવા મળી રહ્ના છે. ભાજપના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઢોલ નગારાના તાલે ફુલોનો વરસાદ કરીને ઉમેદવારી પત્ર નોધાવવા માટે કલેકટર અને બહુમાળી પહોચી ગયા હતા. વિજય મુહુર્ત ૧૨ઃ૩૯ ઉમેદવારી ભર્યુ હતુ. બીજી બાજુ કોગ્રેસ અને આપ ના ઉમેદવારો પણ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે પહોચી ગયા હતા.
ગુજરાત વિધાનસભાની ચુંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાની ચુંટણી ૧લી ડિસેમ્બરના રોજ યોજાશે. અને પહેલાં તબક્કામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની ૮૯ સીટ માટેનું મતદાન થશે. તે માટે ભાજપ , કોîગ્રેસ અને આમ આદમી પાર્ટીઍ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. તા.૧૪મી નવેમ્બર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જેથી શુક્રવારે સુરત શહેરની ૧૨ વિધાનસભાના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે નિકળ્યા હતા. ખાસ કરીને ભાજપ , કોગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સૌપ્રથમ ભગવાનના દર્શન કરી માથે તિલક કર્યુ હતુ. ત્યારબાદ ઘરના સભ્યોઍ આરતી ઉતારી હતી. આ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઢોલ નગારાના તાલે ફટાકડા ફોડીને ફુલોના હાર પહેરીને કલેકટર કચેરી અને બહુમાળી ખાતે પહોચી ગયા હતા. ભાજપ , કોગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓઍ નારેબાજી કરી પોતાની પાર્ટી જીતશે તેવા દાવાઓ કર્યા હતા. ખાસ કરીને આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કતારગામથી ચૂંટણી લડી રહ્નાં છે. ત્યારે આજે તેઓ ફોર્મ ભરવા નીકળ્યાં હતાં. ગોપાલ સાથે યુવા નેતા તેમજ રાજ્યસભા સાંસદ રાધવ ચઢ્ઢાઍ રોડ-શો યોજી ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યાં હતાં. રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને ગોપાલ ઈટાળીયા ભગવાનના આશિર્વાદ મેળવી પરિવર્તન રેલી સ્વરુપે ઉમેદવારી પત્ર ભરવા ગયાં હતાં. આ રેલી અક્ષરવાડી , કેન્સર હોસ્પિટલની પાછળ , ડભોલી , કતારગામથી નીકળી હતી. સુરતની પડ્ઢિમ બેઠક પરથી ચૂંટણી લડવા મેદાને ઉતરેલા પૂર્ણેશ મોદીઍ આજથી પ્રચારના શ્રીગણેશ કરવાના શરૂ કર્યા છે. પૂર્ણેશ મોદીઍ આજે ભાજપના પદાધિકારીઓ અને પાલિકાના નેતાઓ સાથે ઉમેદવારી કરવા નીકળ્યા હતાં. ઍ દરમિયાન સૌ પ્રથમ અંબિકાનિકેતન ખાતે માતાજીના દર્શન કર્યા હતાં. બાદમાં કાર્યકરોની શુભેચ્છા લેતા તેઓ ફોર્મ ભરવા માટે નીકળ્યાં હતાં. ફોર્મ ભરવા નીકળેલા તમામ રાજકીય પક્ષના ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરતાં હોય તે રીતે નીકળી રહ્નાં છે. મત્તદારોને આકર્ષવા માટે તથા પોતે જ ચૂંટણી જીતવાના છે તે પ્રકારનો માહોલ ઉભો કરતાં ઉમેદવારો કાર્યકરોની વિશાળ ફોજ લઈને નીકળ્યા હતા. તથા પોતાના સમર્થનમાં ઉમેદવારો નારેબાજી પણ કરાવતા નજરે પડ્યા હતા. આમ શુક્રવારે સમગ્ર સુરત રાજકીય માહોલમાં રંગાયુ હતુ. ઠેર ઠેર ટ્રાફીકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.