
ગોડાદરા વિસ્તારમાંથી સવારે પસાર થતી ઍક સીટી બસમાં શોર્ટ સર્કીટને કારણે આગ લાગતા ભાગ દોડ મચી ગઇ હતી.જાકે આગ લાગતા જ મુસાફરો સમય સુચકતા વાપરી બસમાંથી ઉતરી જતા મોટી દુર્ઘટના ટળી હતી.આગને કારણે બસ સંપૂર્ણ પણે બળીને ખાક થઇ જવા પામી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.ફાયરબ્રિગેડે આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ગોડાદરા આસપાસ માનસરોવર પાસેના રોડ પરથી સવારે આઠ વાગ્યાના અરસામાં બ્લૂ કલરની જીજે-૫- બીઍકસ-૩૨૨૫ નંબરની ઍક સીટીï બસ પસાર થઇ રહી હતી.ત્યારે અચાનક બસમાં શોર્ટ સર્કીટને કારણે આગ લાગતા અફરાથફરી મચી ગઇ હતી.આ બસ ગોડાદરાથી ચોકબજાર જઈ રહી હતી. તે વેળાઍ શોર્ટ સર્કીટ થતા બસમાં આગ લાગી હતી. બસમાં આગ લાગતા જ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા. જો કે પળભરમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.જાત જાતામાં બસ સંપૂર્ણ પણે બળીને ખાક થઇ ગઈ હતી. તો બીજી તરફ આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવી લીધો હતો. પરંતુ ત્યાં સુધીમાં બસ બળીને ખાક થઇ ગઈ હતી.ફાયર વિભાગે જણાવ્યું હતું કે, સવારે બસમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આગમાં બસ બળીને ખાખ થઇ ગયી હતી. બસના ઍન્જિનમાં શોર્ટ સર્કીટ થયા બાદ આગ લાગ્યાનું અનુમાન છે. તેમજ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી. બીજી તરફ બનાવની જાણ થતા ત્યાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગથી લોકોના ટોળા પર રસ્તા પર દેખાયા હતા. અત્રે ઉલ્લેખનિય છેï કે, અવારનવાર સીટીબસોમાં આગ લાગી રહી છે. તેની પાછળ બસોની યોગ્ય મરામત કે સર્વિસ કરવામાં ન આવતા હોવાથી આવી ઘટનાઓ બને છે. ખાસ કરીને મુસાફરી કરી રહેલા મુસાફરોનો જીવનું જાખમ રહેલુ છે. આમ ,પણ બસોમાં કોઇ પણ જાતના ફાયર સેફટીના સાધનો નથી.