ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળ્યા બાદ મંત્રી મંડળની પસંદગીમાં ભાજપ પાસે અનેક વિકલ્પો રહેશે. ૧૫૬ ધારાસભ્યોમાંથી મંત્રીઓ પસંદગી કરવા માટે ભાજપ પાસે અનેક વિકલ્પ હોવાથી ભુપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રી મંડળમાં સુરતના પ્રતિનિધિનું કદ યથાવત રહેશે કે ઘટશે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. સુરતમાં સુરત સહિત દક્ષિણ ગુજરાત વિપરીત સ્થિતિમાં પણ ભાજપનો ગઢ બની રહયુ છે ત્યાર બાદ સુરત અને દક્ષિણ ગુજરાતને મંત્રી મંડળમાં કેવું પ્રતિનિધિત્વ મળે તે માટે અનેક ચર્ચા શરુ થઈ ગઈ છે.
મોદી મેજીક ના કારણે સુરત શહેર જિલ્લાની તમામ ૧૬ બેઠક સાથે દક્ષિણ ગુજરાતમાં ૨૮ માંથી ૨૭ બેઠક ભાજપે કબજે કરી લીધી છે.આ સાથે જ ગુજરાતમાં ૧૫૬ બેઠક જીતવા સાથે ભાજપે ઈતિહાસ રચી દીધો છે. ભાજપે ઈતિહાસ રચી દીધા બાદ હવે કમુરતા શરૂ થાય તે પહેલાં ૧૨ ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે સપથવિધી થાય તેવું આયોજન થઈ રહયુ છે. ભુપેન્દ્ર પટેલની ગત સરકારમાં સુરત શહેરના પુર્ણેશ મોદી, હર્ષ સંઘવી, વિનોદ મોરડીયા અને મુકેશ પટેલ મંત્રી હતા જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી કનુ દેસાઈ મંત્રી હતી.ભુપેન્દ્ર પટેલ નવા ઈતિહાસ સાથે ફરીથી મુખ્યમંત્રી બનવા જઈ રહયા છે ત્યારે તેમના નવા મંત્રી મંડળમાં સુરત અને દક્ષિણ ગુજરાતને કેટલું અને કેવું પ્રતિનિધિત્વ મળે છે તે અંગે કાર્યકર-નેતાઓ સાથે લોકોમાં ભારે ઉત્સુકતા છે. ૧૫૬ ધારાસભ્ય હોવાથી મંત્રીઓ પસંદ કરવા માટે ભાજપ પાસે વિશાળ વિકલ્પ છે તેથી સુરતને પ્રતિનિધત્વ ગત ટર્મ જેવું ન મળે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ ઍવું પણ કહેવાય રહયુ છે કે, વિપરીત સ્થિતિમાં સુરત સહિત દક્ષિણ ગુજરાત ભાજપનો ગઢ બની ગયો છે તે જોતાં પ્રતિનિધિત્વ ચોક્કસ મળશે.૧૨ ડિસેમ્બરે નવું મંત્રીમંડળ રચાય તેમાં પુર્ણેશ મોદી, હર્ષ સંઘવી, વિનોદ મોરડીયા અને મુકેશ પટેલ સાથે કનુ દેસાઈને સ્થાન મળે છે કે નહીં તે અંગે અનેક અટકળો છે. આ ઉપરાંત અન્ય ચહેરાના નામ પણ ચર્ચાઈ રહયા છે.