ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં સુરતની ૧૨ બેઠકમાંથી ઉધના, ચોર્યાસી. કામરેજ, વરાછા, ઓલપાડ અને પુર્વ વિધાનસભામાં ઉમેદવાર જાહેર થતાની સાથે જ ભાજપમાં જ વિરોધ શરુ થઈ ગયો હતો. આ વિરોધના કારણે ભાજપને નુકસાન થશે તેવી ગણતરી થઈ રહી હતી. જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મોદી મેજીકથી ભાજપે અત્યાર સુધીમાં સૌથી સારો દેખાવ કર્યો છે.જે રીતે રામાયણ કાળમાં રામના નામે પથ્થર તરી ગયાં હતા અને રામ સેતુ બની ગયો હતો તેવી જ રીતે કળયુગની આ ચુંટણીમાં મોદીના નામે ધારાસભ્ય તરી ગયાં તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે.
ગુજરાત વિધાનસભાની ચુંટણી બાદ લોકોઍ સોશ્યલ મિડિયામાં પોસ્ટ મુકી છે તેમાં સ્પષ્ટ કહયુ છે, ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો, સંસદ સભ્યોને સ્પષ્ટ ચેતવણી. જનતા તમારી કામગીરી જોઈને નહી પરંતુ માદી સાહેબની છબી, નિષ્ઠા,દેશ ભક્તિ, જોઈને જ તમને મજબુરીમાં મત આપે છે. તમે સુધરી જાવ તો સારુ. નહી તો તમારા પાપે પ્રજાને મોદી જેવા પ્રધાન મંત્રી ખોવાનો વારો આવશે.મતદારોઍ મોદીના નામે ભાજપના ઉમેદવારોને મત આપ્યા છે તેના માટે આવી ઍક બે નહી સંખ્યાબંધ પોસ્ટ સોશ્યલ મિડિયામા જોવા મળી રહી છે આ જ સાબિત કરે છે કે પ્રજાઍ ભાજપના ઉમેદવાર કે સ્થાનિક નેતાઓને જોઈને નહીં માત્ર નરેન્દ્ર મોદીને જોઈને કમળને મત આપ્યો છે. તેથી હવે મતદારો જીતેલા ધારાસભ્યોને લોક હિતના કામ માટે જોડાવવા માટે સીધી ચેતવણી આપી રહયા છે.