
ભેસ્તાન ભગવતીનગર ઇન્ડસ્ટ્રીયલમાં ગ્રે કાપડનું કારખાનું ધરાવતા ઍક કારખાનેદાર સાથે રૂ.૪૪ લાખની ઠગાઇ થયા હોવાની ફરિયાદ પોલીસ મથકમા નોધાય છે.
અલથાણ કેનાલ રોડ વાસ્તુ ડીસ્કવરીમાં રહેતા સંજયભાઈ હીરાલાલ પટેલ ભેસ્તાન ભગવતી નગર ઇન્ડસ્ટ્રીયલમાં સંજય ફેબ્રિકેશન અને નીલ ફેબ્રિકેશન નામથી ગ્રે કાપડનું કારખાનું ધરાવે છે આઠ મહિના પહેલા રવિ શર્મા ઉર્ફે હરજીરામ દલારામ ચૌધરી નામનો દલાલ આવ્યા હતો.સુરત રીંગરોડ માર્કેટમાં ગ્રે કાપડનો માલ ખરીદે તેવી મોટી પાર્ટીઓ છે. જો તેમની સાથે ધંધો કરશો તો ફાયદો થશે અને સમયસર પૈસા અપાવવાની તમામ જવાબદારી પોતાની રહેશે તેવી બાહંધરી આપી સંજયભાઈને પોતાના ઝાંસામાં ફસાવ્યા હતા.ત્યારબાદ દલાલ રવિઍ રીગરોડ મહાવીર માર્કેટમાં નવકાર ઍન્ટરપ્રાઇઝ ધંધો કરતા મુકેશ જૈન, સાવન ક્રિઍશનના માલિક દીપક પ્રભુસિંગ અને ન્યુ આદિત્ય હાઉસમાં આશીર્વાદ ઇમ્પેક્ષના માલિક કિશનલાલ સોનીનો સંપર્ક કરાવ્યો હતો.ચારે જણાઍ ઍકબીજાનીમદદગારીથી પૈસા સમયસર મળી જશે તેવી બાહંધરી આપી તેમની પાસેથી રૂ.૪૪.૦૬ લાખનો ઉધાર ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. પરંતુ વેપારીઓઍ સમયસર પૈસા ન ચુકવતા સંજયભાઇઍ ઉઘરાણી કરતા તેઓઍ હવે પૈસા લેવા આવશો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી આજદિન સુધી પૈસા ન ચુકવ્યા હતા. આ બનાવ સંદર્ભે સંજયભાઇઍ પાડેસરા પોલીસમાં મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.