
૧૦ વર્ષથી વધુ સમય પહેલા આધારનોંધણી કરાવી હોય અને ત્યાર બાદના સમયગાળા દરમ્યાન આધારકાર્ડ અપડેટ કરાવ્યો ન હોય તેવા આધારકાર્ડ ધારકોને સરકારી સહિતની વિવિધ સેવાઓનો લાભ લેતી વેળાઍ ફિંગર પ્રિન્ટ મીસમેચની ફરિયાદો ઉઠી છે. જેને લઇ ૧૦ વર્ષથી વધુ સમય સુધી આધારકાર્ડ અપડેટ ન કર્યો હોય તો જરૂરી પુરાવા સાથે આધાર અપડેટ કરવા અપીલ કરવામાં આવી છે.
આધારનોંધણી કેન્દ્રો પર રૂ.૫૦ અને માય આધાર ઓનલાઈન પોર્ટલ પર રૂ.૨૫ ફી ચુકવી આધારકાર્ડ અપડેટ કરાવી શકાશે. આધારકાર્ડ ધારકોઍ ઓફલાઈન આધાર અપડેટ કરવા માટે સુરત મહાનગરપાલિકાના આધારનોંધણી કેન્દ્રોનો સંપર્ક કરવાનો રહેશે.પાલિકાના ૯ ઝોનમાં કેન્દ્રો કાર્યરત છે. જ્યાં આધાર અપડેટ કરવા ઓળખ-સરનામાના પુરાવા આપવા પડશે. જેના આધારે જ નોંધણી ફોર્મમાં ઍન્ટ્રી કરવી પડશે. બાદમાં તમામ વિગતો ચકાસીને રૂ.૫૦ ચુકવાના રહેશે. છેલ્લે ઇઆઇડીનંબર અને ચૂકવવાની ફી સાથેની રસીદ ઍકત્ર કરવાની રહેશે.