
હજુ થોડાક સમય પહેલા જ રાજસ્થાનમાં ઍક પ્લેન ક્રેશના સમાચાર આવ્યા હતા ત્યારે હવે મધ્યપ્રદેશના મુરેનામાં બે પ્લેન ક્રેશ થયાના સમાચાર મળી રહ્ના છે. મધ્યપ્રદેશના મુરેનામાં વાયુસેનાના સુખોઈ અને મિરાજ ઍરક્રાફ્ટ ક્રેશ થયા હતા. આ ઘટના સ્થળે બચાવ કાર્ય ચાલુ છે. હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. બંને પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે.
મધ્યપ્રદેશના મોરેના પાસે બે ફાઈટર જેટ ક્રેશ થયા છે. આમાંથી ઍક વિમાન સુખોઈ-૩૦ છે જ્યારે બીજું વિમાન મિરાજ ૨૦૦૦ છે. અકસ્માત બાદ બંને વિમાનોમાં આગ લાગી હતી. આ બંને વિમાનોઍ ગ્વાલિયર બેઝ પરથી ઉડાન ભરી હતી. આ ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીઍ સેના સાથે મળીને શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. આ સાથે જ રેસ્ક્યુ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વિમાનોઍ મધ્યપ્રદેશના ગ્વાલિયર ઍરબેઝથી ઉડાન ભરી હતી જ્યાં ઍરફોર્સની કવાયત ચાલી રહી હતી.આ ઘટનાના થોડા સમય પહેલા જ યુપીના આગ્રાથી ઉડતું પ્લેન રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચૈન વિસ્તારમાં ક્રેશ થયું હતું. જો કે રહેણાંક વિસ્તારમાં આ પ્લાન ક્રેશ થયુ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. જિલ્લા કલેક્ટર આલોક રંજને જણાવ્યું કે ભરતપુરમાં ઍક ચાર્ટર્ડ ઍરક્રાફ્ટ ક્રેશ થયું છે. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.