
આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામણ ૫મી વખત સંસદમાં સામાન્ય અંદાજપત્ર રજુ કરી રહયા છે. મોદી સરકારના બીજા કાર્યક્ળના વર્ષ ૨૦૨૩-૨૪ના આ છેલ્લું બજેટ છે. ઉપરાંત આવતા વર્ષે સામાન્ય ચૂંટણી પણ હોવાથી આ બજેટ ખુબ જ મહત્વનું છે.નાણાંમંત્રી નિર્મલા સીતારામણે તેમના બજેટ ભાષણ દરમિયાન કહયુ કે, કસ્ટમ ડ્યૂટી, સેસ, સરચાર્જ દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રમકડાં પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 13 ટકા કરાઈ છે, ઍટલે કે હવે રમકડાં સસ્તા થશે. ઉપરાંત સાયકલ પણ સસ્તી કરવામાં આવી છે. લિથિયમ આયન બેટરી પર કસ્ટમ ડ્યુટીમાં રાહત આપવામાં આવી છે.
નાણામંત્રી નિર્મલા સીતારામણે નવા ટેક્સ સ્લેબની જાહેરાત કરતા જણાવ્યું કે, વાર્ષિક ત્રણ લાખ સુધીની આવક પર કોઈપણ ટેક્સ નહીં લાગે, જ્યારે રૂ.૩થી ૬ લાખની આવક પર ૫ ટકા, રૂ.૬થી ૯ લાખની આવક પર ૧૦ ટકા, રૂ.૯થી ૧૨ લાખની આવક પર ૧૫ ટકા, ૧૨થી ૧૫ લાખની આવક પર ૨૦ ટકા તેમજ ૧૫ લાખથી વધુની આવક પર ૩૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે.નાણાંમંત્રી નિર્મલા સીતારામણે ટેક્સને લઈને મોટી જાહેરાત કરી છે. હવે ૭ લાખ રૂપિયાના વાર્ષિક કમાણી પર કોઈ ટેક્સ આપવો નહીં પડે. હાલ આ મર્યાદા ૫ લાખ રૂપિયાની હતી.નોકરીયાત વર્ગને ફરી બજેટમાં નિરાશા હાથ લાગી છે. નાણામંત્રીઍ આવકવેરામાં કોઈ રાહતની જાહેરાત કરી નથી. તેમણે માત્ર ઍટલું જ જણાવ્યું કે, કેવી રીતે આવકવેરા રિટર્ન ફાઈલિંગ પહેલા કરતાં વધુ સરળ બની ગયું છે. તેમણે કહયુ કે આવકવેરા વિભાગે રિટર્નની પ્રક્રિયાની વધુ સરળ બનાવી છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં આઇટીઆરમાટે સરેરાશ પ્રોસેસિંગનો સમયગાળો ૯૩ દિવસની હોય છે, જે ઘટીને ૧૬ દિવસ થઈ છે. નાણામંત્રીઍ કહયુ કે, ૪૫ ટકા આઇટીઆરની પ્રક્રિયા ૨૪ કલાકની અંદર કરાઈ રહી છે.અમૃતકાશળમાં મહિલાઓ માટે નવી બચત યોજનાની જાહેરાત કરાઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે કહયુ કે, આ યોજનાનો લાભ બે વર્ષ સુધી ઉઠાવી શકાશે. માર્ચ ૨૦૨૫માં બે વર્ષનો સમયગાળો પૂર્ણ થશે. ઍટલે કે માર્ચ ૨૦૨૫ સુધી મહિલાઓ ૨ લાખ રૂપિયા સુધીનું “મહિલા સન્માન બચત પત્ર” ખરીદી શકશે. આના પર ૭.૫ ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જરૂર પડવા પર આ નાણાંમાંથી અમુક રકમ ઉપાડી શકાશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ઍવિઍશન સેક્ટર માટે પણ મહત્વની જાહેરાત કરી છે. આ જાહેરાત હેઠળ હવાઈ કનેક્વિટિવી વધારવાની વાત નાણામંત્રીઍ કહી છે. દેશમાં ૫૦ નવા ઍરપોર્ટ બનવાવાની જોગવાઈ કરાઈ છે.