સુરતની નવી નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ રીલીફ ટીમ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સેવા કરવા જવા માટે તૈયારી બતાવી છે. નર્સિંગઍસોસિઍશનના પ્રમુખ ઈકબાલ કડીવાલાઍ ૭૫ જેટલા નર્સિંગસ્ટાફ સાથેની ટીમ તૈયાર કરી નાખી છે. આ અંગે ટીમનું લિસ્ટ રાજ્યના આરોગ્ય મંત્રીને મોકલી આપ્યું છે. સરકાર જ્યારે પણ આદેશ આપે તે સમયે તુર્કીમાં જઈને લોકોની સેવા માટે જવા તૈયાર છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેની મેડીકલ રીલીફ ટીમ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સેવામાં જવા માટે સરકારને તૈયા૨ બતાવી છે. તુર્કીમાં આવેલા ભૂકંપમાં હજારો લોકો મોત અને સેકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે તુર્કીમાં આવી પડેલી અણધારી આફત સામે સુરતનો નર્સિંગઍસોસિઍશન દ્વારા મદદ માટે ત્યાં જવાની હિંમત બતાવી છે. આ માટે સુરતથી ૭૫ જેટલા સભ્યોની મેડિકલ રિલીફ્ટ ટીમનું લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને તે તમામને તુર્કીમાં જવા અંગેની સંમતિ પણ દર્શાવી આપી છે.સુરત નર્સિંગ ઍસોસિઍશનના પ્રમુખ ઈકબાલ કડીવાલાઍ કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યના રાજ્યમંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખીને જણાવ્યું હતું કે સુરત નર્સિંગઍસોસિઍશનની ટીમ દ્વારા ભૂતકાળમાં પ્લેગની બીમારી, ભુકંપ લાતુર, ભુકંપ ભૂજ અને ભુકંપ નેપાળમાં સેવાઓ સરાહનીય કામગીરી કરી ચૂક્યા છે. ફર્સ્ટ રીલીફમાં પણ ઇમરજન્સી મેડીકલ સેવાઓ પૂરી પાડનાર ટીમ હોય ત્યારે તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સરકાર તરફથી આદેશો કરવામાં આવે તો મેડીકલ રીલીફ ટીમે સ્વેચ્છાઍ સેવામાં જવાની તૈયારી દર્શાવી છે. આ બાબતે મેડીકલ રીલીફ ટીમના નર્સિંગઍસોસિઍશનના ઇકબાલ કડીવાલા, કિરણ દોમડિયા, નિલેશ લાઠીયા, ચૂક વિભોર અને પટેલ વીરેન સહિતના ૭૫ વ્યક્તિની ટીમે સેવામાં જવાની સ્વેચ્છાઍ સહમતી આપી છે.