સુરત શહેરમાં કાયદા અને વ્યવસ્થા પર ફરી ઍકવાર સવાલો ઉઠવા પામ્યા છે. બુધવારે અમરોલી અને લિંબાયતમાં ઉપરાછાપરી બે હત્યાના બનાવો પ્રકાશમાં આવ્યા બાદ મોડી રાત્રે વરાછા કમલપાર્ક સોસાયટીમાં જૂના ઝઘડાની અદાવતમાં છુટક સાડીનો ધંધો કરતા ઍક યુવકને સરેઆમ ચાકુના ૯ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી બે હત્યારા ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર હત્યાના ફુટેજ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ શહેરમાં ઉપરાછાપરી ત્રણ હત્યાના બનાવો બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
મૂળ રાજકોટના જામકંડોરણાના ધોળીધારનો વતની અને હાલ વરાછા માતાવાડી અર્ચના ભવનની બાજુમાં ઈશ્વરકૃપા સોસાયટી ઘર નં.૫૫માં પત્ની નયના અને બાળકો સાથે રહેતો ખુશાલ કેશુભાઈ કોઠારી છૂટક સાડીનો ધંધો કરતો હતો. ખુશાલ બુધવારે રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં વરાછા કમલપાર્ક સોસાયટી ખાતે તુલસી પાનના ગલ્લે ઉભેલા મિત્ર કમલેશ ડાંગોદરાને મળવા પોતાની બાઈક ઉપર ગયો હતો. ત્યારબાદ રોડની ઍક બાજુ બાઇક પર સવાર ખુશાલે ઈશારો કરી પોતાના મિત્ર કમલેશને બોલાવતા તે રોડ ક્રોસ કરીને ખુશાલ પાસે જઈ રહ્ના હતો ત્યારે અચાનક જ બાઈક ઉપર પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝા અને હર્ષ ગામી ધસી આવ્યા હતા અને કશું બોલ્યા વિના બાઈક પર બેસેલા ખુશાલના શરીરે પોતાની પાસેના ચપ્પાઓ વડે આડેધડ ઘા ઝીંક્યા હતા.બનાવને લીધે લોકોનું ટોળું ઍકત્ર થતા બંને ફરાર થઈ ગયા હતા.નજર સામે જ મિત્ર પર હુમલો થતા ગભરાયેલા કમલેશે મિત્ર કનુ પરમારને ફોન કરી બોલાવ્યો હતો.તેઓ ખુશાલને પહેલા નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પણ ખુશાલની હાલત ગંભીર હોય અન્ય મિત્રો સાથે મળી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો.જોકે, ખુશાલને છાતીના ભાગે બે ઘા, ડાબા ગળા પાસે, જમણા ગળા પાસે, ડાબી તરફ પેટના ભાગે, ડાબા પગના જાંગના ભાગે ૯ ઘા માર્યા હોય તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા દોડી ગયેલી વરાછા પોલીસે ખુશાલની પત્ની નયનાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગત ડિસેમ્બર માસમાં ખુશાલ અને પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓ ઝા વચ્ચે ઝઘડો થતા ખુશાલે તેને માર માર્યો હતો.તે બનાવમાં પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝાઍ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી.તે ઝઘડાની અદાવતમાં જ બુધવારે પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝાઍ મિત્ર હર્ષ ગામી સાથે મળી ખુશાલને રહેંસી નાંખ્યો હતો.બનાવ અંગે વરાછા પોલીસે નયનાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર હત્યાની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.