
આપણા ત્યાં પરંપરા છે કે કોઈ સારા સમાચાર હોય તો ઍની લાગણી વ્યક્ત કરવા માટે લાપસીના આંધણ મુકાતા હોય છે કે હલવો બનાવવામાં આવતો હોય છે. સુરત મહાનગરપાલિકા પણ કેન્દ્ર સરકારના રસ્તે આગળ ચાલી રહી છે અને આજે સામાન્ય સભા શરૂ થાય ઍ પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, ઍમ સુરતનાં મેયર હેમાલી બોઘાવાલાઍ જણાવ્યું હતું. અંદાજે આ ગુજરાતમાં પહેલીવાર છે સામાન્ય સભા ખંડ બહાર સવારે ૯-૩૦ વાગ્યે મેયર-પદાધિકારીઓ કમિશનર હાજરીમાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ હલવા સેરેમનીમાં પાલિકાનો વિરોધ પક્ષ અને મ્યુનિસિપલ કમિશનર સૂચક ગેરહાજરી પાલિકા તંત્રમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
સુરત પાલિકાની સામાન્ય સભામાં બજેટ રજુ થાય તે પહેલાં કોઈ ખાસ કાર્યક્રમ રાખવામાં આવતો નથી અને સીધી સામાન્ય સભા શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ આ વર્ષે પહેલી વાર કેન્દ્ર સરકારના બજેટની જેમ જ સુરત પાલિકા દ્વારા હલવા સેરેમની માટે આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર બજેટ પહેલા હલવા સેરેમની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિઍ ૩૦૧ કરોડનો વેરો સુરતની પ્રજા પર ઝીંક્યા બાદ કરવામાં આવેલી આ હલવા સેરેમની સુરતના રાજકારણમાં ચર્ચાનો વિષય બનવા સાથે લોકો પણ સોશિયલ મિડિયામાં હલવા સેરેમની પર કટાક્ષ કરી રહ્નાં છે. વિરોધપક્ષના નેતા ધર્મેશ ભંડેરીઍ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોને જાણે લોકોને મુશ્કેલીમાં મૂકવા અને આર્થિક બોજો આપવામાં વધુ રસ પડી રહ્ના છે. હજારો કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ૩૦૦ કરોડ કરતાં વધારાનો વેરો સુરતવાસીઓ પર નાખવામાં આવ્યો છે. બજેટની અંદર સામાન્ય પ્રજાનાં વિકાસશીલ કામો ઓછા ખર્ચ અને સમયસર પૂર્ણ થાય ઍનું ધ્યાન રાખવું જોઈઍ. પ્રજા પર વધારાના બોજ કર સ્વરૂપે ન નાખવા જોઈઍ છતાં પણ મનપાના સત્તાધીશોને જાણે લોકોની કોઈ જ ચિંતા ન હોય ઍ પ્રમાણે ઍક તરફ વેરો ઝીંકીને આર્થિક બોજ આપી રહ્ના છે અને બીજી તરફ તેઓ હલવા પાર્ટી કરી રહ્ના છે, જે ખરેખર યોગ્ય નથી. પ્રજા પર બોજો નાખીને કડવાસ પીરસનાર શાસકોનો મીઠો હલવો ખાવાનો વ્યવહાર અમને યોગ્ય લાગતો નથી.