સુરત જિલ્લાના માંડવી તાલુકાના નોગામાં ખાતે કાંકરાપારની મોટી નહેરમાં રાત્રીના સમયે ૧૫ મીટરનું ગાબડું પડતાં પાણી પાંચ છ દિવસ બંધ રહેવાની શક્યતા છે.આ નહેર તૂટતાં સિંચાઇ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવાઈ છે. હાલ નહેરમાં પડેલું ગાબડું રિપેર કરવામાં આવી રહ્નાં છે.પરંતુ આ કારણે આ નહેર છેક ભરૂચના અક્લેશ્વર સુધી જતી હોવાથી અંકલેશ્વર, હાંસોટ, સૂરત જિલ્લા સહિત કાંઠા વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તકલીફ થશે.
આ અંગે ખેડૂત અગ્રણી દર્શન નાયકના જણાવ્યા મુજબ સમયસર પાણી નહીં મળવાના કારણે ખેડૂતોના શેરડી, ડાંગર, શાકભાજી જેવા પાકમાં ભારે નુકસાન થવાની ભિતી છે. ઍક બાજુ મહિનાઓ સુધી નહેર રિપેરિંગ માટે ખેડૂતોને લાંબો સમય પાણીથી વંચિત રાખવામાં આવે છે. આવી જ રીતે નહેર તૂટવાની ઘટનાઓ છેલ્લા કેટલાય સમયથી અવારનવાર બનતી જ આવી રહી છે. આથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી ક્યારે મળવાનું શરૂ થશે? ઍ પણ નક્કી નથી?નહેર તૂટતાં સિંચાઇ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ જે જગ્યાઍ નહેર તૂટી છે. તે જગ્યાઍથી આજુબાજુમાં પાણી વહી રહ્નાં છે પરંતુ આ કારણે ખેતરો પાણી નહીં જતા નુકસાન થયું નથી.નહેર ઝડપથી રિપેર કરી દેવાશે.