સુરતમાં છેલ્લા થોડા દિવસોથી શેરીજનોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્ના છે અને આ સાથે શહેરમાં માવઠાની પણ અસર જોવા મળી હતી. જેને લઇ શહેરમાં શરદી, ઉધરસ અને વાયરલ ફીવરના વધુ કેસો ઍકાઍક સામે આવી રહ્ના છે. સુરત સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલ અને દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યાનો ધસારો વધી ગયો છે.
સુરતમાં હાલમાં જ માવઠાની અસર વર્તાઈ હતી અને વાતાવરણમાં પલટો આવ્યો હતો. હાલ પણ શહેરમાં ગરમી અને ઠંડી ઍમ બે ઋતુનો અનુભવ થઈ રહ્ના છે. હાલમાં ઉનાળાની ઋતુ શરુ થઇ ગઈ છે. ઍક તરફ લોકો ગરમી અને બફરાનો અનુભવ કરી રહ્ના છે તેવામાં થોડા દિવસ પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને માવઠું પડ્યું હતું. હાલમાં સવારે ઠંડી, બપોરે ગરમી ઍમ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્ના છે. આ પ્રકારે ઋતુ પરિવર્તન થવાના કારણે સુરતમાં વાયરલ ઇન્ફેકશનના કેસોમાં ઍકાઍક અઢળક વધારો થતો જોવા મળી રહ્ના છે. જેને લઇ બેવડી ઋતુઍ શહેરમાં બીમારીનું પ્રમાણ ઍકાઍક વધારી દીધું છે જેને લઇ શહેરીજનો ચિંતામાં મુકાયા છે.સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેકશનના રોજના અઢળક કેસો અને દર્દીઓ આવી રહ્ના છે. સિવિલમાં શરદી, ઉધરસ અને વાયરલ ફીવરના દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલમાં હાલમાં રોજના ૭૦થી વધુ કેસો માત્ર વાયરલ ઇન્ફેકશનના સામે આવી રહ્ના હોવાનું જાણવા મળ્યું છે.ખાસ કરીને ખાનગી દવાખાનાઓમાં સૌથી વધુ કેસો જાવા મળી રહયા છે.સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટન્ટ ગણેશ ગોવરેકરે જણાવ્યું હતું કે ઋતુ બદલાઈ છે તેમજ હાલમાં માવઠું પણ પડ્યું હતું. જેને લઈને વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થઇ રહ્ના છે. હાલમાં રોજના રોજના ૬૬થી ૭૦ જેટલા કેસો રોજના સામે આવી રહ્ના છે. લોકો વાયરલ ઇન્ફ્કેશના કેસોથી બચવા માટે માસ્ક પહેરવું જોઈઍ, ઠંડું પાણી ન પીવું જોઈઍ. તેઓઍ વધુમાં જણાવ્યું હતું કે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં શરદી, ઉધરસ, તાવ વગેરે લક્ષણો જોવા મળી રહ્ના છે. ડોક્ટરની સલાહ વિના લોકોઍ ઍન્ટી બાયોટીક દવા લેવાનું ટાળવું જોઈઍ. આ પ્રકારના વધતા કેસોમાં જે રીતે દર્દીઓ ચિંતા કરી રહ્ના છે પરંતુ તે પ્રકારની કોઈ ચિંતા કરવાની જરૂર નથી.