
સચીન જીઆઈડીસી પ્લોટ નં. ૮૪ ખાતે આવેલા ઍક કારખાનામાં બપોરના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોઍ કારખાનામાંથી રૂપિયા ૧.૫૦ લાખની મતાનો સામાન ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
રાજકોટ જિલ્લાના વતની અને હાલ યોગી ચોક સીમાડા નહેર સ્થિત મેજેસ્ટીકા હાઇટ્સમાં રહેતા દિનેશભાઈ મનસુખભાઈ કાછડિયા સચીન જીઆઈડીસી રોડ નં. ૮૪ ખાતે શ્રી વલ્લી સારીઝ નામથી કારખાનું ધરાવે છે. તારીખ ૭મી માર્ચના રોજ બપોરના સમયે તેમના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતા. અને તસ્કરોઍ દાદર પાસે પડેલા રૂપિયા ૧.૫૦ લાખના કેબલના બંડલો ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગે બીજા દિવસે દિનેશભાઈ કારખાના આવ્યા બાદ ચોરી થયાની ભાન થતાં તેમને સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.