
પાંડેસરા કૈલાસનગર પાસે આવેલી ઍકï મસાલાની દુકાનમાં વહેલી સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ આગના કારણે આખી દુકાન બળીને ખાખ થઇ ગઈ હતી.
પાંડેસરા કૈલાશ નગર ચોકડી સ્થિત ગીતા નગર પાસે સુરેશભાઈ રામપ્રસાદ શાહ નામના વેપારીની આર.પી.ઍસ. નામથી મસાલાની દુકાન આવેલી છે. વહેલી સવારે ૫.૩૦ વાગ્યાના અરસામાં દુકાન બંધ હતી તે સમયે દુકાનમાં અચાનક શોર્ટસર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી. દુકાનમાં આગ લાગ્યાની જાણ આસપાસના રહીશોને થતા વહેલી સવારે દોડધામ મચી ગઈ હતી. આગને લઇને લોકોમાં અફરા તફરી જેવો માહોલ સર્જાયો હતો. જોત જોતામાં આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મસાલાની દુકાનમાં આગ લાગી હોવાની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો સાથે પાંચથી વધુ ગાડી સાથેની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ફાયર દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. દુકાનમાં શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું અનુમાન કરાય રહ્નાં છે. તેમજ દુકાનમાં આગ લાગતા દુકાનમાં રહેલો મસાલાનો સમાન, તેલ અને મસાલાની ચક્કી સહિતની વસ્તુઓ બળીને ખાખ થઇ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.