
હવે પ્લાસ્ટિક પણ ખાઈ શકાશે અને તે પણ સ્વાસ્થ્ય માટે હાનીકારક નથી તેવું પ્લાસ્ટિક સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા ઘરમાં ખાવા પીવામાં આવતી વસ્તુઓના સંશોધન થકી પ્લાસ્ટિક બનાવવામાં આવ્યું છે જે પ્લાસ્ટિક આપણે ખાઈ શકીઍ છીઍ.
પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે અને તેના માટે સરકાર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, રોજિંદા જીવનમાં આપણે પ્લાસ્ટિકનો મહદંશે ઉપયોગ કરતા હોઈઍ છીઍ, પરંતુ વધુ પડતો પ્લાસ્ટિકનો વપરાશ પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે નુકસાનકર્તા સાબિત થાય છે. જોકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા ઍક ઍવું સંશોધન કરવામાં આવ્યું છે જેમાં તેમણે આપણે રોજિંદા ખાવા પીવામાં વપરાતા અનાજ અને શાકભાજીના સ્ટાર્ચમાંથી ઍવું પ્લાસ્ટિક બનાવ્યું છે કે જે આપણે ખાઈ પણ શકીઍ છીઍ અને તેની કોઈ આડ અસર પણ નથી.
ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સના પ્રોફેસર ડો.આઇ.બી.પટેલ ઍ કહ્નાં કે હાલમાં જે પ્લાસ્ટિક આવે છે તે પીવિસી અને અન્ય પોલિમર જેવા છે. જેમાં કેમિકલ આવે છે. જે સ્વાસ્થ્ય અને પર્યાવરણ બન્ને માટે નુકશાનકર્તા છે. તેથી મે અને મારા વિદ્યાર્થીઓઍ મળીને આપણે ઉપયોગમાં લેતા શાકભાજી અને અનાજમાંથી નીકળતા સ્ટાર્ચ કે જેને આપણે ફેંકી દેતા હોઈઍ છે. ઍ સ્ટાર્ચ અને વિનેગારને મિક્સ કરીને અમુક ટેમ્પરેચર સુધી રાખીને તેમાંથી પ્લાસ્ટિક બનાવ્યું, આ પ્લાસ્ટિકને સ્મુધ કરવા માટે તેમાં થોડું દિવેલ પણ ઉમેર્યું છે. અમે બટાકાનું સ્ટાર્ચ અને વિનેગારને મિક્સ કરીને આ પ્લાસ્ટિક બનાવ્યું છે ઍવી જ રીતે ચોખા કે અન્ય શાકભાજીમાંથી નીકળતા સ્ટાર્ચ કે જે આપણે ફેંકી દેતા હોઈઍ છીઍ તેનો ઉપયોગ કરીને પણ આ પ્રકારના પ્લાસ્ટિક બની શકે છે. બાયોડિગ્રેબ્લ પ્લાસ્ટિકમાં કલર પણ અમે ઓર્ગેનિક યુઝ કર્યા છે. જેમ કે લાલ કલર માટે ગાજર અને બીટનો ઉપયોગ કર્યો છે. જ્યારે પીળા કલર માટે હળદરનો ઉપયોગ કર્યો છે. આ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં કરી શકાય છે. ખાણીપીણીની વસ્તુઓના પેકિંગ માટે ઉપયોગમાં લઇ શકાય છે. જ્યારે મેડીસીનમાં કેપ્સ્યુલમાં સૌથી વધારે આનો ઉપયોગ કરી શકાય છે. આ પ્લાસ્ટિક શરીરમાં જાય તો પણ હાનિકારક નથી કારણ કે આ શાકભાજી અને અનાજમાંથી જ બનાવવામાં આવ્યું છે