
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ફ્રીની રેવડી વહેચી મત લેવાનું રાજકારણ કરતા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે. આ નિવેદન સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા સોમવારે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ફ્રીની રેવડી અને અસહ્ના ફી વધારો સામે આમ આદમી પાર્ટી દ્વારા સૂત્રોચ્ચાર કરી બેનરો સાથે ભાજપ સરકારની નિષ્ફળતાની પોલ ઉઘાડી પાડી હતી. જાકે, પોલીસે ૫૦થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
આમ આદમી પાર્ટી દ્વારા સુરત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પાસે સોમવારે સવારે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફ્રીની રેવડી વહેચી મત લેવાનું રાજકારણ કરતા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે, તેવા નિવેદનના વિરોધમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ, નગરસેવકો અને કાર્યકર્તાઓઍ ભાજપ સરકારની નિષ્ફળતાની ઉઘાડી પાડી હતી. જેમાં ફ્રીની રેવડી અંગે ભાજપે લોકોને સમજ આપવાની જરૂર છે. ફ્રીની રેવડી ઍટલે નેતાઓને જલસા કરાવવામાં આવે છે. નેતાઓને વિજળીના ચાર હજાર યુનિટ ફ્રીમાં આપવામાં આવે છે. લોકોનાં પૈસે નેતાઓ વિદેશી પ્રવાસ કરી રહ્ના છે. આ ઉપરાંત અનેક સવલતો લોકોનાં પૈસે નેતાઓને આપીને સરકાર ફ્રીની રેવડી વહેચી રહી છે. જ્યારે લોકો પર અસહ્ના મોઘવારીનો માર ભાજપ સરકાર દ્વારા મારવામાં આવી રહ્ના છે. આજે લોકોને પોતાના બાળકોને ભણાવવા માટેનો ખર્ચ ખુબ જ મોઘો પડી રહ્ના છે. શિક્ષણ ફી મોઘી હોવાના કારણે આમ આદમી પોતાનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ પણ આપી શકતા નથી. આ ઉપરાંત ફ્રીની રેવડી અંગે ભાજપે લોકોને ખુલાસો કરવાની જરૂર છે, તેવું આમ આદમી પાર્ટીનાં નેતાઓઍ જણાવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં પોલીસે આમ આદમી પાર્ટીનાં મહિલા કાર્યકર્તાઓ સહિત ૫૦થી વધુ લોકોની અટકાયત કરી હતી.