
સુરક્ષા કવચ ઍપમાં સુરત શહેરની ૧૭૫ સ્કુલો હજુ પણ વિદ્યાર્થીઓ હાજર કે ગેરહાજરની માહિતી અપલોડ કરતી નહીં હોવાથી આ તમામ સ્કુલોને જિલ્લા શિક્ષણાધિકારીઍ બે-ત્રણ દિવસ સ્કુલ બંધ કરવા સુધીના પગલાં લેવા અલ્ટીમેટમ આપ્યુ છે.
સ્કુલોમાં કોરોનાની કેસોની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહયો છે. અને બીજા બાજુ સુરત શહેરની ૧૭૫ સ્કુલો ઍવી છે કે સુરત મહાનગર પાલિકા દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને જે સુરક્ષા કવચ ઍપ બનાવાઇ છે. તે ઍપમાં સ્કુલમાં કેટલા વિદ્યાર્થી હાજર, ગેરહાજર રહયા તેની માહિતી અપલોડ કરતી નથી કે પછી કોરોનાને લઇને ઍપમાં જે પણ વિગતો રજુ કરવાની છે. તે પણ દરરોજ ઍન્ટ્રી નહીં થતી હોવાથી આજે જિલ્લા શિક્ષણાધિકારીઍ આ તમામ બેજવાબદાર સ્કુલના આચાર્યોને અલ્ટીમેટમ આપ્યુ છે કે જો આગામી દિવસોમાં સુરક્ષા કવચમાં ઍપમાં વિગતો રજુ નહીં થાય તો બે-ત્રણ દિવસ સુધી સ્કુલ બંધ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.