
આજે મહાશિવરાત્રિનો પાવન તહેવાર છે. ત્યારે સુરતના શિવાયલો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. વહેલી સવારથી જ ભાવિકો દર્શન કરવા માટે ઉમટી રહયા છે.વહેલી સવારથી જ લાઈનો લાગી ગઈ હતી. મંદિર તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઈનની સાથે ભાવિકોને માત્ર દર્શન કરાવવામાં આવ્યાં હતાં. જો કે ધૂમધામથી ઉજવણી ન થઈ હોવાથી ભાવિકોઍ કોરોનાને નાથવા ભગવાનને પ્રાર્થના કરી હતી..
મહાશિવરાત્રિ નિમિતે ભગવાન શિવમાં આસ્થા રાખતા ભાવિકો વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં લાઈનો લગાવી દર્શન કરવા ઉમટ્યાં હતાં. જેથી શિવાલયોમાં શંભુમેળો જામ્યો હતો.પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે કોરોના સોશિયલ ડિસ્ટન્સના નિયમો પ્રમાણે ભાવિકોને શિવજીની પૂજા કરવામાં હતી. પારદેશ્વર મહાદેવના દર્શન કરીને ભાવિકોઍ ધન્યતા અનુભવી હતી. સાથે જ કોરોનાનો નાશ થાય તે માટે ભાવિકોઍ ભગવાનને પ્રાર્થના કરી હતી.