
સુરત શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્ના છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. ખાસ કરીને પાંડેસરા, શ્રીરામનગર સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો.
જેના કારણે સોસાયટીમાં રહેતા રહીશોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માત્ર હળવા વરસાદમાં જ સોસાયટીમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છેલ્લાં ૧૦ વર્ષથી જેમ ને તેમ છે. આ અંગે રહીશોઍ અવારનવાર સ્થાનિક કોર્પોરેટરો અને પાલિકાને રજુઆત કરી હતી, પરંતુ તેમની સમસ્યાનું આજદિન સુધી નિકાલ ન થતાં રહીશોમાં ભભૂકતો રોષ જાવા મળી રહ્ના છે.