Skip to content
October 16, 2025
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Surat Channel

Surat Channel

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
Watch Online
  • Home
  • 2022
  • November
  • 18
  • પ્રચાર પૂરજોશમાં : ભાજપના ૮ દિગ્ગજ સ્ટાર પ્રચારકો જાહેર સભા ગજવશે
  • City
  • Gujarat
  • Uncategorized
  • ગુજરાત

પ્રચાર પૂરજોશમાં : ભાજપના ૮ દિગ્ગજ સ્ટાર પ્રચારકો જાહેર સભા ગજવશે

Surat Channel November 18, 2022

વિધાનસભાની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોની ફોજ સુરતમાં ઉતરશે. આજે સુરતની ૧૦ વિધાનસભા બેઠક પર ભાજપના ૮ નેતાઓ અને સ્ટારપ્રચારકો જાહેરસભા ગજવશે. યુ.પીના સી.ઍમ યોગી આદિત્યનાથ ચોર્યાસી વિધાનસભામાં આવતા ગોડાદરા વિસ્તારમાં જાહેર સભા સંબોધશે. આ વિસ્તારમાં હિન્દીભાષી મતદારો ખૂબ મોટી સંખ્યામાં છે. ગોડાદરા, આસપાસ, ડીંડોલી સહિતના વિસ્તારોની અંદર ઉત્તર ભારતીય મતદારોને આકર્ષવા માટે યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતારવામાં આવશે. લિંબાયતમાં મહારાષ્ટ્રીયન મતદારોની સંખ્યા ખૂબ જ વધુ છે. મરાઠી મતદારોને રીઝવવા માટે દેવેન્દ્ર ફડણવીસને ચૂંટણી પ્રચારની કમાન સોંપવામાં આવી છે. તેઓ લિંબાયત વિધાનસભા વિસ્તારમાં આવતા સંજયનગર સર્કલ ખાતે સભા કરશે. બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ રાજકીય માહોલ ગરમાયો છે.

પાટીદાર ગઢમાં મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલાને ઉતારવામાં આવ્યા છે. પાટીદાર પ્રભાવવાળી વરાછા વિધાનસભા વિસ્તારમાં પરસોત્તમ રૂપાલા સભાને સંબોધિત કરશે. મનસુખ માંડવિયા કરંજ અને કતારગામ વિધાનસભા વિસ્તારમાં સભા ગજવશે. આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીની ઍન્ટ્રી થવાને કારણે ખરાખરીનો જંગ ઉભો થયો છે. ત્યારે મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલાની જવાબદારી સોંપાય છે. આ ત્રણેય બેઠકો ભારતીય જનતા પાર્ટીનું ગઢ માનવામાં આવે છે. પરંતુ પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વોટશેર વધતા ભાજપ માટે મોટો પડકાર ઉભો થઈ શકે છે. તેથી મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા આ વિસ્તારમાં સભા સંબોધીને કામ શરૂ કરશે. ઉધના વિસ્તારમાં ઉત્તર ગુજરાત અને મહેસાણાના પાટીદારો મતદારોની સંખ્યા વધારે છે. આ વિસ્તારમાં નીતિન પટેલ જાહેર સભાને સંબોધશે. ઉત્તર વિધાનસભામાં પણ નીતીન પટેલ સભા કરશે. મજુરા વિધાનસભા બેઠક ઉપર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , પડ્ઢિમ બેઠક ઉપર અનુરાગ ઠાકુર અને પૂર્વ વિધાનસભા વિસ્તારમાં તેજસ્વી સૂર્યાજી સભા કરશે. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચાર માટે નેતાઓ અને સ્ટારપ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આગામી દિવસમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રોડ શો અને જાહેરસભાનું આયોજન કરવામાં આવી રહ્નાં છે. સંભવત રવિવારે રોડ શો યોજાય શકે છે. જો કે, હજુ સુધી કાર્યક્રમનું સ્થળ અને રો શોનો રૂટ નક્કી થયો નથી. રોડ – શોમાં ૫ થી ૬ વિધાનસભા વિસ્તાર કવર કરવામાં આવશે.

Tags: bjp surat surat channel suratnews

Post navigation

Previous કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીઍ કહ્નાં- કેજરીવાલ અને ઓવૈસી અહીં આવ્યા નથી બી ટીમ તરીકે લાવવામાં આવ્યા છે
Next નાના વરાછા પાસેથી પાર્સલ ડિલીવરી સગેવગેનાં ગુનામાં નાસતા ભાગતા આરોપીઓ પકડાયા

Similar Stories

કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:
  • ગુજરાત

કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:

October 8, 2025
વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા
  • ગુજરાત

વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા

October 8, 2025
ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન
  • ગુજરાત

ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન

October 2, 2025

Recent Posts

  • કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:
  • વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા
  • સોલેક્સ એનર્જી લિમિટેડ – એનએસઇ મેઈન બોર્ડ પર સ્થાનાંતરણની ઉજવણી માટે સુરતમાં બેલ વાગાવ્યું
  • ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન
  • મુનિશ ફોર્જ લિમિટેડનું IPO: રોકાણકારો માટે સુરતમાં ઇન્વેસ્ટર્સ મીટ યોજાઈ

Our Address

  • Themefreesia, Abc Building, 5th Floor, Zyz Street
  • (123) 456-7890
  • support@support.com
  • themefreesia

You may have missed

કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:
  • ગુજરાત

કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:

October 8, 2025
વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા
  • ગુજરાત

વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા

October 8, 2025
સોલેક્સ એનર્જી લિમિટેડ – એનએસઇ મેઈન બોર્ડ પર સ્થાનાંતરણની ઉજવણી માટે સુરતમાં બેલ વાગાવ્યું
  • બિઝનેસસ

સોલેક્સ એનર્જી લિમિટેડ – એનએસઇ મેઈન બોર્ડ પર સ્થાનાંતરણની ઉજવણી માટે સુરતમાં બેલ વાગાવ્યું

October 8, 2025
ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન
  • ગુજરાત

ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન

October 2, 2025

About Us

About Surat Channel short description.

In Pictures

More News Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Copyright © All rights reserved. | DarkNews by AF themes.