
ઉધના દરવાજા સી.બી.સેન્ટરમાં આવેલી સ્વામિ વિવેકાનંદ નેત્ર મંદીર ટ્રસ્ટ દ્વારા તા.૨૩મી નવેમ્બરના રોજ વિનામુલ્યે ૨૭ લાભાર્થીઓના મોતિયાના ઓપરેશન કર્યા હતા.
આ માટે આ સંસ્થાઍ ૨૦મી નવેમ્બરના રોજ વિનામુલ્યે આઇ ચેક અપ કેમ્પનું આયોજન કર્યુ હતુ. જેમાં ૧૪૭ જેટલાં લાભાર્થીઓઍ લાભ લીધો હતો. ત્યારબાદ તેમાંથી ૫૪ જેટલાં લોકોને પડદાની , ઝામરની તેમજ આંખની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી ૨૭ લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. આમ આ સંસ્થાઍ બિન જરૂરી આંખના અંધાપાને વિશ્વમાંથી દુર કરવાના સેવાકીય નેત્રયજ્ઞ હેઠળ સુરત જીલ્લાના વિવિધ ગામોમાં નેત્ર કેમ્પનું આયોજન કર્યુ છે. લોકોને આ કેમ્પ થકી લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.