
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના પ્રચારના પડઘમ શાંત થાય ઍ અગાઉ રાજકારણના ઍપી સેન્ટર સમાન સુરતમાં કતલની રાત જેવો માહોલ જોવા મળ્યો હતો. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ મેગા રોડ શો બાદ વિશાળ જાહેરસભાને સંબોધન કરવાની સાથે સાથે સુરતમાં ૧૭ કલાક જેટલું રોકાણ કર્યું હતું. આ ૧૭ કલાક દરમિયાન ઉદ્યોપતિઓ સાથે મુલાકાતો યોજવાની સાથે સાથે ઘણા સાથે વીડિયો કોલ અને ટેલિફોનિક ચર્ચા કરી હતી. નારાજ પાટીદારોનાં મનામણાં માટે પણ ભરપૂર પ્રયાસો કરવામાં આવ્યા હતા. બીજી તરફ હર્ષ સંઘવી અને સી.આર.પાટીલ સાથે પણ મેરેથોન મીટિંગ યોજવામાં આવી હતી. ત્યાર બાદ મોદી સુરત ઍરપોર્ટ જવા નીકળ્યા હતા. મોદી સુરતથી સીધા પાલિતાણા ખાતે સભા સંબોધવા રવાના થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટીદાર પ્રભુત્વ વાળી બેઠકો ઉપર સતત નજર રાખીને બેઠા છે. ઇતિહાસમાં પહેલી વખત વડાપ્રધાન પોતે વિધાનસભાની ચૂંટણીમાં સુરતમાં રાત્રી રોકાણ કરીને તમામ વિધાનસભાની બેઠકો પૈકી પાટીદાર પ્રભુત્વ વાળી છ બેઠકો ઉપર સૌથી વધુ કામ કરી રહયા છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવ્યા બાદ ચોક્કસ રાજકીય માહોલ ભાજપમાં આવતો દેખાઈ રહ્ના છે. મોદી પણ યુવાઓને પોતાની તરફ લાવવા માટે પ્રયાસો કરી રહયા છે.બીજી બાજુગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ મેરેથોન મીટિંગ યોજી હતી. લગભગ બે કલાક જેટલી આ મીટિંગ ચાલી હતી.વડાપ્રધાને આ દરમિયાન બન્ને નેતાને ચૂંટણીનું માર્ગદર્શન આપ્યું હોવાનું જાણવા મળ્યુ છે. ત્યાર બાદ હર્ષ સંઘવી અને પાટીલ સીધા ઍરપોર્ટ પર જવા નીકળ્યા હતા.
પાટીદાર અગ્રણી અને હીરા ઉદ્યોગપતિ મુકેશ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. મુકેશ પટેલની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. પાટીદાર અગ્રણી મુકેશ પટેલ લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલા છે. મુકેશ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના મનાય છે. છાશવારે તેઓ દિલ્હીમાં વડાપ્રધાનને મળતા હોય છે. ત્યારે આ વખતે વરાછા અને કતારગામમાં નારાજ પાટીદારને મનાવવા માટે મથતા નરેન્દ્ર મોદીની સાથે મુકેશ પટેલ બંધબારણે ઉદ્યોગપતિઓ સાથે વીડિયો કોલ અને ટેલિફોનિક રીતે સંપર્ક કરાવ્યો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી વખતે પણ સુરતના વરાછા વિસ્તારમાંથી જે પ્રકારે પાટીદાર અનામત આંદોલનનો માહોલ ઊભો થયો હતો. સરકારને રાજકીય રીતે મોટું નુકસાન થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. ત્યારે મુકેશ પટેલ સક્રિય થયા હતા. મુકેશ પટેલ દ્વારા હાર્દિક પટેલ થકી રાજકીય રીતે ભાજપને નુકસાન થઈ રહ્નાં હતું. તેને સરભર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરીને રાજકીય સ્થિતિમાં કઈ રીતે ગોઠવણ કરવાની છે. અને કેવી રીતે કામ કરવાનું છે. તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુકેશ પટેલને જવાબદારી આપશે અને તે પ્રકારની કામગીરી કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલ રાત્રે જે લોકોના સંપર્ક થયા હતા. ત્યારબાદ જે તે વિસ્તારમાં કયા પ્રકારના ફેરફાર આવ્યા છે. કયા ઉદ્યોગપતિ અને સમાજના અગ્રણી દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે. તેનું યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો છે કે, કેમ તેનો રિપોર્ટ પણ મુકેશ પટેલ નરેન્દ્ર મોદીને સોંપશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ ગઈકાલ રાતથી જ સમાજના કેટલાક અગ્રણીઓ ને કામગીરી સોંપી છે. વડાપ્રધાને ગઈકાલે જ રાતે કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણી, લવજી બાદશાહ, લાલજી પટેલ અને ભાવનગર અને અમરેલી જિલ્લાના સામાજિક અગ્રણીઓનો સંપર્ક કરી દીધો હતો. સ્પષ્ટ સૂચનામાં આપવામાં આવી છે કે, તમારા વિસ્તારના યુવાનો સાથે અને મહિલાઓ સાથે ખાસ સંપર્ક કરો નવા જોડાયેલા મતદારોને સંપર્ક કરીને ભાજપ તરફેણમાં મતદાન કરવા માટે તૈયાર કરો. દરેક બુથ ઉપર નવા જોડાયેલા મતદારો અને જે યુથ છે તેમનો સીધો સંપર્ક કરો.